કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રાજનીતિથી સંન્યાસ લેવાનાં સંકેત આપ્યાં છે. નાગપુરનાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે 'હું એક સીમાથી વધારે કોઈને ખુશ નથી કરતો'
નિતિન ગડકરીએ રાજનીતિ છોડવાનાં સંકેત આપ્યાં
કહ્યું એક સીમાથી વધારે ખુશ નથી કરતો
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહી વાત
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રાજનીતિથી સંન્યાસ લેવાનાં સંકેત આપ્યાં છે. તેમણે એકવાર ફરી સંકેત આપ્યાં કે રાજનીતિમાં તેમની રુચિ નાશ પામી રહી છે. ગડકરીનાં આ નિવેદન બાદ લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે તેમના અને પાર્ટીના હાઈકમાનની વચ્ચે સંભવત: બધું બરાબર નથી ચાલી રહ્યું. કેટલાક એવું પણ કહી રહ્યાં છે કે સંભવત: 2024 લોકસભા ચૂંટણીમાં તેમને ભાજપ ટિકીટ ન પણ આપે..
Union minister Nitin Gadkari’s hint at ‘quitting politics’ fuels rift speculation
જનસંબોધન કરતાં કર્યો વોટ અંગે ઉલ્લેખ
રવિવારે નાગપુરમાં એક એવોર્ડનાં કાર્યક્રમમાં તેમણે કહ્યું કે તે ભલે 2 ચૂંટણી જીત્યાં છે પરંતુ તેઓ ઈચ્છે છે કે 'લોકો તેમને ત્યારે જ વોટ આપે જ્યારે તેમને લાગે કે એમને વોટ આપવો જોઈએ.' તેમણે કહ્યું કે 'હું એક સીમાથી વધારે કોઈને ખુશ નથી કરતો. જો કોઈ મારી જગ્યાએ આવે છે તો પણ મને કોઈ મુશ્કેલી નથી કારણકે ત્યારે જ હું પોતાના કામને વધુ સમય આપી શકીશ.'
અધિકારીએ કરી સ્પષ્ટતા
મીડિયા રિપોર્ટ અનુસાર નીતિન ગડકરીની ઓફિસનાં એક અધિકારીએ જણાવ્યું કે મંત્રીનાં નિવેદનને મીડિયાએ ખોટી રીતે રજૂ કર્યું છે. અધિકારીએ કહ્યું કે , ' તેમણે (ગડકરી)એ માત્ર એટલું જ કહ્યું કે તે વોટ મેળવવા માટે ખુશ કરવાની રાજનીતિ નથી કરી શકતાં'
છેલ્લાં કેટલાક સમયથી ગડકરી આપી રહ્યાં છે સંકેતો
આ પહેલાં પણ ગડકરી સાર્વજનિક મંચ પર આ પ્રકારનાં નિવેદનો આપી ચૂક્યાં છે. આ વર્ષ જાન્યુઆરીમાં હલબા આદિવાસી મહાસંઘનાં સદસ્યોને સંબોધિત કરતાં ગડકરીએ કહ્યું હતું કે 'તેઓ જેને ઈચ્છે તેને વોટ આપી શકે છે, કારણકે વોટ કોને આપવો એ તેમણે (જનતા)એ નક્કી કરવાનું છે.' 2022માં જૂલાઈમાં તેમણે કહ્યું હતું કે તેમને ક્યારેક-ક્યારેક લાગે છે કે રાજનીતિ છોડી દેવી જોઈએ કારણકે સમાજ માટે કરવા માટે એવી અનેક બીજી વસ્તુઓ છે. આ બાદ સંયોગથી ન માત્ર તે ભાજપ સંસદીય બોર્ડથી બહાર થયાં પરંતુ ભાજપની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં પણ સ્થાન ન બનાવી શક્યાં.