મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન દર્શાવે છે કે,2070 સુધી ભાજપનું શાસન રહેશે.અને કેન્દ્રમાં સત્તા માટે ગુજરાતમાં ભાજપની સતા જરૂરી.
ભાજપની પ્રદેશ કારોબારીમાં મુખ્યમંત્રી
2070 સુધી ભાજપનું શાસન રહી શકે છે
કેન્દ્રમાં સતા માટે ગુજરાતમાં સતા જરૂરી
ગાંધીનગરમાં ભાજપની મળેલી પ્રદેશ કારોબારીમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લાસગો સમિટને યાદ કરી હતી. ગ્લાસગો સમિટમાં PMના કાર્બન નેટની વાતનો CMએ ઉલ્લેખ કર્યો હતો.આ ઉલ્લેખ સાથે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 2070 સુધીમાં દેશમાંથી કાર્બન નેટ 0 કરવાનો લક્ષ્યાંક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન દર્શાવે છે કે, 2070 સુધી ભાજપનું શાસન રહેશે.અને 2070 સુધી કેન્દ્રમાં સત્તા માટે ગુજરાતમાં ભાજપની સત્તા જરૂરી છે.
બધાની નજર ગુજરાતની હાર પર ;CM
રાજ્યના મુખ્ય મંત્રીએ ગુજરાત ભાજપને બિરદાવતા કહ્યું કે, ગુજરાત ભાજપ હંમેશા નં-1 રહ્યું છે. બધાની નજર ગુજરાતમાં ભાજપને હરાવવા પર છે. આ તકે જીત માટેનો રોડ-મેપ તૈયાર કરવો જરૂરી હોવાની વાત પણ મુખ્ય મંત્રીએ કરી હતી
ગ્લાસગોમાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત જળવાયુ પરિવર્તનને રોકવા માટે સખત મહેનત કરી રહ્યું છે. સાથોસાથ જીવનશૈલીના અભિગમ અંગે પણ તેમણે કહ્યું કે, પર્યાવરણ પ્રતિ સંવેદનશીલ જીવનશૈલી એ આબોહવા પરિવર્તનને રોકવા માટે લાંબા ગાળાનો ઉકેલ હોઈ શકે છે. વડાપ્રધાને 'ઇકો-ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ'ને વૈશ્વિક મિશન બનાવવાનું આહ્વાન કર્યું હતું. મોદીએ ફરી એ વાતનું રટણ કર્યું કે, વિકસિત દેશોએ આબોહવા ધિરાણ માટે એક ટ્રિલિયન ડોલર પ્રદાન કરવાના તેમના વચનને પૂર્ણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે જે રીતે ક્લાઈમેટ મિટિગેશન કરવામાં આવે છે તે જ રીતે તેનું નિરીક્ષણ કરવું જોઈએ.
આબોહવા ધિરાણનું નિરીક્ષણ જરૂરી
વડાપ્રધાને કહ્યું કે, ભારત આશા રાખે છે કે વિકસિત દેશો ક્લાયમેટ ફાઈનાન્સિંગ માટે વહેલામાં વહેલી તકે એક ટ્રિલિયન ડોલર આપશે. જેમ આપણે આબોહવા શમન પર નજર રાખીએ છીએ, તે જ રીતે આપણે આબોહવા ધિરાણનું નિરીક્ષણ કરવું જોઈએ. ખરેખર ન્યાય ત્યારે જ મળશે જ્યારે એવા દેશો પર દબાણ લાવવામાં આવશે જેઓ તેમના આબોહવા ધિરાણના વચનો પૂરા કરી રહ્યા નથી.
કાર્બનની તીવ્રતામાં 2030 સુધીમાં ઘટાડો
વડાપ્રધાને કહ્યું, ‘ભારત 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે, 2030 સુધીમાં અશ્મિભૂત ઇંધણના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ વધારશે.’ તેમણે કહ્યું કે ભારત 2030 સુધીમાં અંદાજિત ઉત્સર્જનમાંથી એક અબજ ટન કાર્બન ઉત્સર્જન ઓછું કરશે, ભારત કાર્બનની તીવ્રતામાં 45 ટકાનો ઘટાડો કરશે.