ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ થતા દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં અમિત શાહની સારવાર ચાલી રહી છે.
જોકે આ અંગે ખુદ્દ અમિત શાહે ટ્વીટ કરી જાણકારી આપી છે અને લખ્યું છે કે ઈશ્વરની કૃપા અને જનતાના પ્રેમથી હું ઝડપથી સાજો થઈ જાઈશ. બીજેપી અધ્યક્ષની આ ટ્વિટ બાદ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા લખનઉથી દિલ્હી જવા માટે રવાના થઇ ચૂક્યા છે. તે સીધા એમ્સ આવશે અને શાહ સાથે મુલાકાત કરશે.
मुझे स्वाइन फ्लू हुआ है जिसका उपचार चल रहा है। ईश्वर की कृपा आप सभी के प्रेम और शुभकामनाओं से शीघ्र ही स्वस्थ हो जाऊंगा।
અહેવાલ મળી રહ્યા છે કે વડાપ્રધાન મોદી પણ એમ્સ જઇ શકે છે. જો કે અત્યારે તેની સત્તાવાર જાહેરાત થઇ નથી. અમિત શાહે ટ્વિટમાં લખ્યું કે મને સ્વાઇન ફ્લૂ થયો છે જેની સારવાર ચાલી રહી છે. ઈશ્વરની કૃપા તમારા બધાનો પ્રેમ અને શુભકામનાઓથી જલ્દીથી સ્વસ્થ થઇ જઇશ.
#BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ @AmitShah ને સ્વાઈનફ્લૂ#SwineFlu ના કારણે દિલ્લીમાં સારવાર હેઠળ એઈમ્સ હોસ્પિટલમાં અમિત શાહને દાખલ કરાયા અમિત શાહે ટ્વિટ કરીને સ્વાઈનફ્લૂ અંગે કરી જાણ
સ્વાઈનફ્લૂની સારવાર ચાલી રહી છે ઈશ્વરની કૃપા અને જનતાના પ્રેમથી ઝડપથી સાજો થઈશ: અમિત શાહ pic.twitter.com/DUFmPYoP3m
અગાઉ ગત વર્ષ ફેબ્રુઆરીમાં બીજેપી અધ્યક્ષ બીમાર પડ્યા હતા અને પોતાની બેગ્લુરુંની યાત્રાની છોડીને દિલ્હી પાછા ફર્યા હતા. જો કે કમજોરી અને તાવ હોવાના કારણે બુધવારે રાત્રે 8.30 વાગે શાહ અચાનક એમ્સ પહોંચ્યા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમને સ્વાઇન ફ્લૂ થયો છે. ત્યારબાદ ડોક્ટરોએ તેમને તાત્કાલિક એડમિટ થવાની સલાહ આપી હતી.
अमितभाई आपके जल्द से जल्द स्वस्थ होने की मैं ईश्वर से कामना करता हूँ। https://t.co/10N4B1ZIkH
જણાવવામાં આવી રહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી એડમિટ રાખવામાં આવી શકે છે. જ્યારે બીજેપીના ઘણા નેતાઓએ તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર લખ્યું અમિતભાઇ તમને જલ્દીથી જલ્દી સ્વસ્થ થવા માટે હું ઇશ્વરને પ્રાર્થના કરું છું.