ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આ વખતે હૈદરાબાદમાં થઈ રહી છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજો હાજર રહેવાના છે.
18 વર્ષ બાદ હૈદરાબાદમાં BJPની મહાબેઠક
ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદી ભાગ લેશે
લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર થશે
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આ વખતે હૈદરાબાદમાં થઈ રહી છે. હૈદરાબાદના નોવાટેલ કોન્વેંશન સેન્ટરમાં થવા જઈ રહેલી આ બેઠકમાં આજથી શરૂ થઈ રહી છે. અને કાલ એટલે કે 3 જૂલાઈ સુધી ચાલુ રહેશે. ભાજપના પ્રવક્તા એનવી સુભાષે જણાવ્યું છે કે, આ બેઠકની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. રાષ્ટ્રીય કાર્યકારિણીના અધિવેશન બાદ એક વિશાળ રેલી પણ થશે. જેમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. આ રેલી 3 જૂલાઈ સાંજે 6.30 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં થશે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શનિવારે બેગમપેટ પહોંચશે. જ્યાં તેમના સાર્વજનિક સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક હૈદરાબાદમાં 18 વર્ષ બાદ થઈ રહી છે.આ એક મોટો કાર્યક્રમ છે. જેના માટે તમામને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તમામ લોકો ઈમાનદારીથી આ કામમાં લાગેલા છે. જેથી કાર્યક્રમમાં કોઈ અડચણ ન આવે.
લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ
કહેવાય છે કે, કાર્યકારિણીની બેઠક દરમિયાન તેલંગણામાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી ઉપરાંત 2024માં પ્રસ્તાવિત લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી રણનીતિ તૈયાર કરવામાં આવશે. વર્ષ 2014માં કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ ભાજપની આ ત્રીજી બેઠક હશે, જે કોઈ દક્ષિણ ભારતીય રાજ્યમાં આયોજીત થઈ રહી છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની નિર્ણય લેનારો ભાજપનો મુખ્ય એકમ છે.
આવો છે સમગ્ર કાર્યક્રમ
સવારે 10.30 કલાકથી 3 વાગ્યા સુધી રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક
બપોરે 2.55 કલાકે પીએમ મોદી પહોંચશે હૈદરાબાદ
બપોરે 3.30 કલાકથી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક
પ્રધાનમંત્રી અને નડ્ડા બેઠકનો શુભારંભ કરાવશે
ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ ઉપરાંત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મંચ પર હાજર રહેશે