રામલાલને હવે આરએસએસનાં અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખ બનાવવામાં આવેલ છે. સંપર્ક પ્રમુખની જવાબદારી અનિરૂદ્ધ દેશપાંડેની પાસે છે. આ સિવાય આરએસએસએ વધુ એક ફેરફાર કરતા ગોપાલ આર્યને પર્યાવરણ ગતિવિધિઓનાં રાષ્ટ્રીય સમન્વયક બનાવેલ છે.
ન્યૂ દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સંગઠનમાં મોટો ફેરફાર કરતા બીજેપી (BJP) નાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી (national organisation secretary) રામલાલ (Ramlal) ને પરત બોલાવી લીધેલ છે. બીજેપીનું રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આરએસએસ (RSS) નાં વરિષ્ઠ પ્રચારક હોય છે. જો બંને સંગઠનોની વચ્ચે સમન્વયનું કામ કરે છે. તેમનાં સ્થાન પર વી. સતીશને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બનાવી શકાશે. જો કે હજી સુધી આની પુષ્ટિ થઇ નથી.
રામલાલને હવે આરએસએસનાં અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખ બનાવવામાં આવેલ છે. સંપર્ક પ્રમુખની જવાબદારી અનિરૂદ્ધ દેશપાંડેની પાસે છે. આ સિવાય આરએસએસએ વધુ એક ફેરફાર કરતા ગોપાલ આર્યને પર્યાવરણ ગતિવિધિઓનાં રાષ્ટ્રીય સમન્વયક બનાવેલ છે.
BJP National General Secretary (Organisation), Ramlal, removed from the post and appointed Akhil Bharatiya Sahsampark Pramukh of RSS. V Satish likely to replace him as BJP National General Secretary (Organisation) pic.twitter.com/ZoCjJeGtVC
રામલાલ વીતેલ અંદાજે એક દશકથી બીજેપીનાં સંગઠન મહામંત્રીની જવાબદારી સંભાળી રહ્યાં હતાં. હેવ તેમની આરએસએસનાં મૂળ સંગઠનમાં વાપસી થઇ. તમને જણાવી દઇએ કે આરએસએસ પોતાનાં આનુષાંગિક સંગઠનો સાથે સમન્વય માટે તેમાં પોતાનાં પ્રચારકોને મોકલે છે.