SC અને ST સમુદાયના અગ્રણી અને યુવાનો સાથે કર્યો સંવાદ, SC-ST સમુદાયના લોકો ભાજપથી કેમ દૂર રહે છે તેના કારણો શોધવા સૂચના
બી.એલ.સંતોષ ગુજરાત મુલાકાતે
SC-ST અગ્રણી સાથે સંવાદ
SC-ST સમુદાયના લોકોને જોડવા સૂચના
ગુજરાત ભાજપ માટે એક પ્રયોગશાળા છે.અને જો ગુજરાતમાં પ્રયોગ સફળ થાય તો દેશમાં અને અન્ય રાજ્યમાં તે પ્રયોગ ભાજપ કરે.. આવું અમે નહીં પરંતુ ભાજપના જ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન કહ્યું હતું. ભાજપ રાષ્ટ્રીય કક્ષાએ કોઈ પણ સ્ટ્રેટેજી નવી ઘડે તો તેનું ટ્રાયલ તો ગુજરાતમાં જ હોય, તેમાંય વળી આવનાર ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેથી નવી સરકાર સાથે નવા પ્રયોગો કરી ચૂંટણી જંગમાં ઉતારવાની તૈયારી પણ કરી રહ્યું છે. પીએમ મોદી હોય કે અમિત શાહ, જે.પી.નડ્ડા હોય કે કેન્દ્રિય કક્ષાના મંત્રી ચૂંટણીલક્ષી રણનીતિના ભાગરૂપે ગુજરાતમાં તેમના આંટાફેરા વધી ગયા છે.
'SC-ST સમુદાયના લોકો ભાજપથી કેમ દૂર રહે છે તેના કારણો શોધો'
વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત પ્રવાસે છે ખૂબ ચૂંટણીની વ્યુહરચનાને લઈ અતિ મહત્વનો છે. બી.એલ.સંતોષ SC અને ST સમુદાયના અગ્રણી અને યુવાનો સાથે સંવાદ કર્યો છે તેમને મુઝવતા પ્રશ્નોને જાણવા પ્રયાસો કર્યા છે. તેમન ગુજરાત ભાજપના સંગઠનને મહત્વની જવાબદારી પણ સોંપી છે. SC અને ST સમુદાયના વધુ લોકોને ભાજપમાં જોડવા માટે સૂચના આપી છે. તેમજ SC-ST સમુદાયના લોકો ભાજપથી કેમ દૂર રહે છે તેના કારણો શોધવાનો આદેશ પણ મહામંત્રીએ આપ્યો છે.
હોસ્ટેલ શાળાની મુલાકાત લેવાની સૂચના
વધુમાં BJPના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષે સમાજની વિવિધ જ્ઞાતિઓમાં ભાજપની વિચારધારા ફેલાવા અંગે સૂચના આપી છે. યુવાનો સાથે સંપર્ક વધારવા હોસ્ટેલ શાળાની મુલાકાત લેવાની પણ વાત કહી છે. તેમજ SC અને ST સમુદાયના લોકોને ઘરે ઘરે જઈ બંધારણમાં કોઇ બદલાવ નહી કરાય તેવી ખાતરી આપવા આવે તેની સૂચના પણ ગુજરાત ભાજપને આપવામાં આવી છે.
આપણે જણાવી દઈએ કે ચૂંટણીમાં જ્ઞાતિ મહત્વનું ફેક્ટર
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીકમાં છે અને રાજકીય પક્ષોએ તેને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તમામ ચૂંટણીઓમાં સ્વાભાવિકપણે અમુક સમીકરણો પર વિશેષ ધ્યાન અપાતું જ હોય છે અને તેમાં જે સમીકરણ સૌથી વધુ ધ્યાને લેવાય છે તે છે જ્ઞાતિગત સમીકરણ. જાતિ જ્ઞાતિના સમીકરણોને માનો કે ન માનો પણ તેને સૌથી વધુ રાજકીય પક્ષો પણ પ્રાધાન્ય આપે છે અને તેની અસર વળી જે તે સમાજો પર પણ જોવા મળતી જ હોય છે. તેમાં પણ જ્ઞાતિનું જે ફેક્ટર છે તેમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય તે જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકર્તા સાબીત થતા હોય છે. તેમાં પણ ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી ટકાવારીને રીતે સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ નથી કરી શકતી. રાજકીય પક્ષો તેમને નજરઅંદાજ નથી કરી શકતી તે વાત સ્વાભાવિકરીતે સમાજ અને સમાજના આગેવાનો જાણે જ છે એટલે જ તો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે સામાજીક મેળાવડાઓ અને સામાજીક બેઠકોનો દોર પણ ચૂંટણી નજીક આવતા જ વધતો આપણે જોતા આવ્યા છીએ. તેવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં ફરીએકવાર જોઇ રહ્યા છીએ.