કોરોના સંકટ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0ના એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. 30 મે 2019એ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત બીજી વાર ભાજપની સરકાર બની તો મંત્રીમંડળમાં ઘણા એવા ચહેરાને તક અપાઇ હતી જે ગત મોદી સરકારમાં સામેલ નહોતા. અમિત શાહને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી, જ્યારે એસ. જયશંકરને વિદેશ મંત્રી બનાવામાં આવ્યા. મોદી કેબિનેટ 2.0માં આ બંને નેતાઓએ સૌથી તાકાતવર ચહેરા તરીકે પોતાની ઓળખ બનાવી છે.
કોરોના સંકટ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0ના એક વર્ષ પૂર્ણ થશે
મોદી કેબિનેટ 2.0માં સૌથી પાવરફુલ ચહેરો છે અમિત શાહ, બનાવ્યા ગૃહ મંત્રી
અમિત શાહ સૌથી પાવરફુલ મંત્રી
મોદી કેબિનેટ 2.0માં સૌથી પાવરફુલ ચહેરો અમિત શાહનો રહ્યો. જેમને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું. આ પહેલા અમિત શાહ પાસે કેન્દ્ર સરકારમાં કોઇપણ મંત્રાલયનો અનુભવ નહોતો. અમિત શાહે કેબિનેટમાં સામેલ થયા બાદ જમ્મૂ કાશ્મીરથી 370 ખતમ કર્યું, આંતકવાદ વિરુદ્ધ UAPA જેવો કાયદો લાવ્યા, CAAમાં સંશોધન કર્યું.
જયશંકરના ખભા પર મોટી જવાબદારી
મોદી સરકારના બીજી વાર સત્તામાં આવ્યા બાદ સુષ્મા સ્વરાજે સ્વાસ્થ્ય કારણોને પગલે કેબિનેટનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને કેબિનેટનો ભાગ બનાવતા વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપી હતી. એસ જયશંકર એ લોકોમાં સામેલ હતા જે ચીન સાથે ડોકલામ મુદ્દાનો ઉકેલ લાવ્યા હતા. આ કારણે તેઓ મોદી સરકારની કેબિનેટનો ભાગ બન્યા.
નિશંકને માનવ સંસાધન મંત્રાલય
મોદી સરકારમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જવાબદારી ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હરિદ્વાર લોકસભાના સાંસદ ડૉ. રમેશ પોખરિયાલ નિશંકને સોંપવામાં આવી છે. નિશંક ગત મોદી સરકારમાં કેબિનેટના ભાગ નહોતા.
ઓરિસ્સાથી પહેલીવાર જીતીને આવેલા પ્રતાપ સારંગીને પણ મોદી સરકારે પોતાની કેબિનેટમાં જગ્યા આપી છે. તેમને સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ રાજ્ય મંત્રી બનાવાયા છે. નિત્યાનંદ રાયને પણ મોદી કેબિનેટમાં પહેલીવાર જગ્યા મળી છે. નિત્યાનંદ રાયને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.