દિલ્હીના તમામ સાતેય ભાજપ સાંસદોએ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટી તરફથી લગાવામાં આવેલા આરોપોની તપાસની માગ કરી છે. સાંસદ મનોજ તિવારીએ જણાવ્યું છે કે, દિલ્હીમાં લોકતંત્રના મૂળિયાને ગંભીર રીતે ખરાબ થયા છે. દિલ્હીના તમામ સાતેય સાંસદો જનતાના સવાલોને સામે લાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં એક પછી એક કેટલાય કૌભાંડો સામે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની ગેેંગ દિલ્હીની જનતાને સવાલોના જવાબ નથી આપી રહી. અમને એ વાતની ગેરેન્ટી જોઈએ કે, જે કૌભાંડ થયા છે, તે પૈસાને દિલ્હીના ખજાનામાં પાછા લાવવામાં આવે.
મનોજ તિવારીએ કહ્યું કે, અમે તમામ સાંસોદોએ હજારો કરોડોના દારુ કૌભાંડ પર સવાલ પુછ્યા તો, એલજી પર આરોપ લગાવી દીધા. મનીષ સિસોદીયા અને અરવિંદ કેજરીવાલે ખરીદવાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે. અમે એલજીને પત્ર લખીને માગ કરી છે કે, પબ્લિક ડોમેનમાં લગાવામાં આવેલા સરકાર પાડવાના, ધારાસભ્યો ખરીદવાના, જેવા ગંભીર આરોપોની ફોરેન્સિક તપાસ કરવામાં આવે.
BJP MPs from Delhi write to Lt Governor VK Saxena, requesting for inquiry into the allegations of purported "attempts by BJP to buy AAP MLAs" made by Delhi CM Arvind Kejriwal, Deputy CM Manish Sisodia and other AAP leaders. pic.twitter.com/ZfXAjgCjr1
સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના જે જે ધારાસભ્યોને ભાજપ તરફથી કોલ ગયા, તે તમામના ફોનની તપાસ થાય. તેમણે સવાલ કર્યો કે, મનીષ સિસોદીયાનો ફોન જ્યારે સીબીઆઈએ જપ્ત કર્યો હતો, તો પર્સનલી તેમને ભાજપ તરફથી કેવી રીતે ફોન આવ્યો ? તો વળી ભાજપ સાંસદ પરવેશ વર્માએ કહ્યું કે, ભાજપ દ્વારા 20 કરોડ રૂપિયાની ઓફર કરવાના દાવા કરનારા આપના ધારાસભ્યોના લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવા જોઈએ.
દારુ કૌભાંડથી ધ્યાન ભટકાવવાની કોશિશ
ભાજપ સાંસદોએ ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખીને માગ કરી છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાના આ આરોપોની તપાસ કરવામા આવે અને ધારાસભ્યોના પક્ષ બદલવા માટે 20 કરોડની ઓફર કરવામાં આવી હતી. કેજરીવાલ અને સિસોદીયાના આરોપ દુર્ભાગ્યપૂર્ણ, ખોટા અને ધ્યાન ભટકાવવા માટે લગાવ્યા હોવાનું કહેતા ભાજપ સાંસદોએ આરોપ લગાવ્યો કે, દિલ્હી સરકાર દારુના કૌભાંડથી ધ્યાન ભટકાવવાનું કામ કરે છે.