વિશ્વભરમાં મંદીની ચર્ચાઓ વચ્ચે ભાજપના સાંસદ વિરેન્દ્રસિંહ મસ્તનું ચોંકવનારું નિવેદન સામે આવ્યું છે. ઉત્તરપ્રદેશના બલિયાના સાંસદ વિરેન્દ્રસિંહે કહ્યું કે જો મંદી હોત તો લોકો કોટ, પેન્ટ પહેરી ન શકતા. સાંસદે કહ્યું કે વિશ્વ અને દિલ્લીમાં મંદીની ચર્ચાઓ થતી રહી છે. જો ખરેખર મંદી હોત તો આપણે કુર્તા-ધોતી પહેરવા લાગતા, ન કે કોટ અને જેકેટ પહેરીને આવતા. ખરેખર મંદી હોત તો કોટ, પેન્ટ ખરીદી ન શકતા હોત.
મંદીને લઈને ગરમાયું રાજકારણ
BJP સાંસદ વિરેન્દ્રસિંહે કહી આ વાત
મંદી હોત તો આપણે કુર્તા-ધોતી પહેરવા લાગતા, ન કે કોટ અને જેકેટ પહેરીને આવતા
મંદી પર રવિશંકર પ્રસાદના નિવેદનને લઈને પણ સર્જાયો હતો વિવાદ
આ પહેલામાં મોદી સરકારમાં કાયદા મંત્રીની જવાબદારી સંભાળનારા રવિશંકર પ્રસાદે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બેરોજગારી અને અર્થવ્યવસ્થામાં સુસ્તીને નકારી હતી. તેઓએ કહ્યું મારો ફિલ્મો સાથે નાતો છે. ફિલ્મો મોટો કારોબાર કરી રહી છે. નેશનલ હોલીડેના દિવસે પણ 3 ફિલ્મોએ મોટો કારોબાર કર્યો છે. જ્યારે દેશમાં ઈકોનોમી સાઉન્ડ થાય છે ત્યારે તો 120 કરોડ રૂપિયાનું એક દિવસમાં રિટર્ન આવે છે.
વિપક્ષી દળોના પ્રશ્નોને લઈને રવિશંકર પ્રસાદે કહ્યું કે તેઓ સંવેદનશીલ વ્યક્તિ છે. તેઓ મંદીને ફિલ્મોની કમાણી સાથે જોડીને આપવામાં આવેલા નિવેદનને પાછું લઈ રહ્યા છે.
ગયા વર્ષે નવેમ્બરમાં મોદી સરકારના રેલ રાજ્યમંત્રી સુરેશ અઘાડીએ કહ્યું હતું કે એરપોર્ટ અને ટ્રેન સતત ભરેલા રહે છે, લોકો લગ્ન કરી રહ્યા છે. આ એ વાતનો સંકેત છે કે દેશની અર્થવ્યવસ્થા સારી છે.