વરુણ ગાંધીએ કહ્યું કે તે હંમેશા ખેડૂતોની સાથે ઉભા રહેશે.
વરુણ ગાંધી ત્રણ દિવસના પ્રવાસ પર પોતાના સંસદીય વિસ્તાર પીલીભીત પહોંચ્યા
વરુણે બડેપુરા ગુરુદ્વારા પહોંચીને શીખ ખેડૂતોની સાથે માથું ટેકવ્યું
વરુણ ગાંધીએ અન્ના હજારેના આંદોલનને યાદ કર્યુ
ભાજપના સાંસદ વરુણ ગાંધી ત્રણ દિવસના પ્રવાસ પર પોતાના સંસદીય વિસ્તાર પીલીભીત પહોંચ્યા. જ્યાં તેમણે બડેપુરા ગુરુદ્વારા પહોંચીને શીખ ખેડૂતોની સાથે માથું ટેકવ્યું આ દરમિયાન વરુણ ગાંધીએ કહ્યું કે તે હંમેશા ખેડૂતોની સાથે ઉભા રહેશે. તેમણે કહ્યું કે મે જ્યારે પણ કોઈની સાથે અન્યાય થતા જોયો છે તો હંમેશા અવાજ ઉઠાવ્યો છે મે એવું ક્યારેય નથી વિચાર્યુ કે મારા પર શું અસર પડશે.
અન્ના હજારેના આંદોલનને યાદ કર્યુ
વરુણ ગાંધીએ મુંડિલયા ગૌસૂ સહિત અનેક ગામમાં ગ્રામીણોને સંબોધિત કર્યા હતા. વરુણ ગાંધી આ દરમિયાન અન્ના હજારેના આંદોલનને પણ યાદ કર્યુ. તેમણે કહ્યું કે દેશમં 543 લોકસભા સાંસદોમાંથી હું એક વ્યક્તિ હતો. હું આંદોલનમાં જઈને તેમની સાથે બેઠો હતો અને તેમનો સાથ આપ્યો હતો. તેવામાં ખેડૂતોને સંપૂર્ણ રીતે હું સાથ આપીશ. અન્ના હજારેના આંદોલનમાં પણ એ એમ નહોંતુ પૂછ્યું કે હું મારી પાર્ટી તેમની સાથે છે કે નહીં, પરંતુ મારું દિલ તેમની સાથે છે.
સીએમ યોગીને લખી હતી ચિઠ્ઠી
ઉલ્લેખનીય છે કે આની પહેલા વરુણ ગાંધીએ ખેડૂતોના મુદ્દા પર સીએમ યોગીને ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમમે શેરડીના ભાવમાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરવા, ઘઉં અને ધાનની સરકારી ખરીદી પર બોનસ આપવા, પ્રધાનમંત્રી ખેડૂત યોજનાની રકમ બે ગણી કરવા અને ડીઝલ પર સબ્સિડી આપવાની માંગ કરી હતી.