દેવભૂમિ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં જે રાજકીય ભૂકંપ આવ્યો છે તે હવે શાંત થવાના આરે છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામાં બાદ હવે તીરથ સિંહ રાવત રાજ્યના નવા સીએમ બનશે. બુધવારે દેહરાદૂનમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી તરીકે તેમનું નામ સામે આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આજે જ તેઓ શપથ લઈ શકે છે.
દહેરાદૂનમાં MLAની બેઠકમાં લેવાયો નિર્ણય
નોંધનીય છે કે તીરથ સિંહ રાવત હાલમાં ઉત્તરાખંડના ગઢવાલથી લોકસભા સાંસદ છે અને તે ઉત્તરાખંડના ભાજપ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અત્યારે તેઓ ભાજપના રાષ્ટ્રીય સચિવ પણ છે.
ઉત્તરાખંડમાં રાજકીય ભૂકંપ :
નોંધનીય છે કે દેવભૂમિ ઉત્તરાખંડમાં રાજકારણ ખૂબ તેજીથી બદલાઈ રહ્યું છે. પાર્ટીના ધારાસભ્યોની નારાજગીના કારણે મંગળવારે ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રીના રાજીનામાં બાદ આજે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી અને તે બાદ નવા સીએમ તરીકે નામની આજે જાહેરાત કરવામાં આવી છે.
કોણ છે તીરથસિંહ રાવત?
9 એપ્રિલ 1964ના રોજ ઉત્તરાખંડના પૌઢી ગઢવાલમાં જન્મ
2013 થી 2015 સુધી ઉત્તરાખંડ ભાજપના અધ્યક્ષ રહ્યા
2012 થી 2017 સુધી ધારાસભ્ય પદે રહ્યા
ઉત્તરપ્રદેશ ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ પદે રહ્યા