દેશભરમાં જ્યારે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમા મળી રહેલા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 141 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યાં છે. કોરોના વાયરસના સંક્રમણ સંખ્યાઓમાં થઇ રહેલા વધારાને લઇને સાવચેતીના પગલા ભરવાનું શરૂ કરી દીધું છે.
સુરેશ પ્રભુ 10 માર્ચ સુધી કોન્ફરન્સમાં સામેલ થવા સાઉદીની મુલાકાતે ગયા હતા
પરત ફરતાં કોરોનાનો કરાવ્યો ટેસ્ટ, રિપોર્ટ નેગેટિવ આવ્યો
જેમાં મોદી સરકારના મંત્રી રહેલા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુરેશ પ્રભુએ પોતાને આઇસોલેટ કર્યાં છે. આ અગાઉ કેન્દ્રીય સંસદીય કાર્યના રાજ્યકક્ષાના મંત્રી વી. મૂરલીધરને પોતાને હોમ કારંટાઇનમાં રાખવાનો નિર્ણય લીધો હતો.
BJP MP Suresh Prabhu has kept himself under isolation at his residence for the next 14 days, as a precautionary measure even after testing negative, following his return from a recent visit to Saudi Arabia to attend Second Sherpas' Meeting on 10th March 2020. (file pic) #COVID19pic.twitter.com/jz4YYX6ecf
ખરેખર તો, ભાજપના સંસાદ સુરેશ પ્રભુ 10 માર્ચના રોજ સાઉદી અરબની મુલાકાતે પહોંચ્યાં હતા. ત્યારબાદ જ્યારે તેઓ ભારત પરત ફર્યાં ત્યારે કોરોના વાયરસને લઇને ટેસ્ટ કરાવ્યો હતો. જો કે ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
પરંતુ સાવચેતીના લઇને સુરેશ પ્રભુએ 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. તેઓ પોતાના ઘરમાં કારંટાઇન છે. આ દરમિયાન ન તો તેઓ કોઇને મળી શકે છે કે ન તો તેઓની પાસે કોઇ જઇ શકે છે. એક મેડિકલ ટીમ તેમના ઘરે રાખવામાં આવી છે.
હોમ કારંટાઇનમાં વી. મુરલીધરન
આ અગાઉ મોદી સરકારના સંસદીય કાર્ય રાજ્ય મંત્રી વી. મુરલીધરન કોરોનાવાયરસના વધતા કહેરને લઇને ઘરમાં જ પોતાને કારંટાઇન કર્યા. તેમના સ્ટાફે આ અંગેની જાણકારી આપી છે. તેમના સ્ટાફે કહ્યું કે મંત્રી કેરલમાં એક કોન્ફરન્સમાં ગયા હતા, જ્યાં તેઓ કોવિડ-19થી સંક્રમિત એક ડૉકટરના સંપર્કમાં આવ્યાં. જેને લઇને સાવચેતીના પગલા રૂપે તેઓ ઘરમાં એકાંતવાસમાં રહી રહ્યાં છે.