અમદાવાદઃ ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના સાંસદ શત્રૃઘ્ન સિન્હાએ ખુદ્દની સરકાર પર જ માછલા ધોયાં હતા. પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા સિન્હાએ કહ્યું કે વાજપેયી સમયે દેશમાં લોકશાહીની સરકાર હતી. પરંતુ આજે તાનાશાહી સરકાર રાજ કરી રહી છે. આજે દેશમાં વન મેન શો અને ટૂ મેન આર્મીનું રાજ છે. આ સાથે સિન્હાએ કેન્દ્રીય મંત્રીઓ પર પણ ટીપ્પણી કરી.
વધુમાં તેમણે કહ્યું કે મને મંત્રી બનવાનો કોઈ શોખ નથી. કારણ કે મંત્રીઓ કોઈ કામના નથી. બધુ કામ તો PMO માંથી જ થાય છે. આ સાથે ભાજપ નહીં છોડવાના પણ સંકેત આપ્યા છે. એવું પણ જણાવ્યુ કે ભાજપ આ નિવેદન પછી ભાજપમાંથી કાઢી મુકશે તો પણ તેનો નિર્ણય સરઆંખો પર હશે.
સિંહાએ કહ્યું કે શક્તિ કરતા મોટી પાર્ટી અને પાર્ટીથી મોટો દેશ હોય છે. હું જે નિવેદન આપી રહ્યો છુ તે રાષ્ટ્ર હિતમાં કહી રહ્યો છું. PM મોદી પર શત્રુઘ્ન સિંહાએ કર્યા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે હાલની સરકારમાં અહંકાર છે. હાલ વન મેન શો જેવી બાબતો ચાલી રહી છે.
બિન ગુજરાતીઓના મુદ્દે યશવંત સિન્હાનું નિવેદન
ગુજરાતમાં બિન ગુજરાતીઓના પલાયન મુદ્દે રાષ્ટ્રમંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં યશવંત સિન્હાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરી રહ્યા છીએ. ગુજરાતની સ્થિતિની દેશમાં ચર્ચા થઇ રહી છે. કોઇ એક વ્યક્તિ માટે સમગ્ર સમાજને દોષી ના ઠેરવી શકાય. ઉત્તર ભારતીયોનું ગુજરાતના વિકાસમાં મોટું યોગદાન છે.
તેમણે સલાહ આપતા કહ્યું કે પહેલા જેવી સદભાવના તમામ લોકો રાખે એ જરૂરી છે. જે લોકો પલાયન કરી ગયા તેમને પરત બોલાવવા માટે પ્રયાસ કરો. લો અને ઓર્ડર યોગ્ય રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
વધુમાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી માઇગ્રેટ થઇને ચંપારણ ગયા હતા. પ્રધાનમંત્રી પણ વારાણસીના સાંસદ છે.