મધ્યપ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય ગોવર્ધન દાંગીએ જિવતા સળગાવી દેવાની ધમકી આપ્યા બાદ ભોપાલ બેઠક પરથી ભાજપ સાંસદ અને ગોડસેને લઇને પોતાના નિવેદનથી ચર્ચામાં આવેલ સાધ્વી પ્રજ્ઞાએ પલટવાર કર્યો છે.
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે કોંગ્રેસીઓનો સળગાવવાનો જૂનો ઇતિહાસ રહ્યો છે અને તેઓ 8 ડિસેમ્બરે બ્યાવરા જશે. તેમણે ગોવર્ધન દાંગીને કહ્યું કે તેઓ તેમને સળગાવી દે.
સાધ્વી પ્રજ્ઞાએ કર્યું ટ્વિટ
સાધ્વી પ્રજ્ઞાએ ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસીઓનો સળગાવવાનો જૂનો અનુભવ છે. 1984માં સિખો અને નૈના સાહનને તંદૂરમાં સળગાવવા સુધી. રાહુલ ગાંધીએ આતંકવાદી કહ્યું અને તેમને ધારાસભ્ય ગોવર્ધન દાંગી મને સળગાવશે. ઠીક છે તો હું આવી રહી છું બ્યાવરા. તેમના નિવાસ મુલ્તાનપુરા પર તારીખ 8 ડિસેમ્બર 2019 સમય સાંજે 4 વાગ્યો. સળગાવી દેજો.
कांग्रेसियों को जिंदा जलाने का पुराना अनुभव है1984 मैं सिखों को और नैना साहनी को तंदूर में जलाने तक का।@RahulGandhi ने आतंकी कहा और उनके विधायक गोवर्धन दांगी मुझे जलाएंगे।ठीक है तो मैं आ रही हूं ब्यावरा उनके निवास मुल्तानपुरा पर दिनांक 8 दिसंबर 2019 समय सायं 4:00 बजे जला लीजिए
જણાવી દઇએ કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાથી કોંગ્રેસના ધારાસભ્ય ગોવર્ધન દાંગીએ ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને સળગાવીને મારવાની ધમકી આપી હતી. જોકો સોશિયલ મીડિયામાં નિવેદન વાયરલ થયા બાદ શુક્રવારે ધારાસભ્યએ માફી પણ માંગી હતી. ગુરૂવારે રાજગઢ જિલ્લાના બ્યાવરામાં દાંગીની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રજ્ઞા ઠાકુરના પુતળાનું દહન કર્યું હતું.
દાંગીએ કહ્યું હતું કે, 'પ્રજ્ઞાનું પુતળું નહીં, તે અહીં આવશે તો પ્રજ્ઞા ઠાકુરને પણ સળગાવી દેશું.' ત્યારબાદ શુક્રવારે માફી માંગતા કહ્યું કે, મેં આ નિવેદન આવેશમાં આવીને અચાનક આપી દીધું હતું. મારે બોલવામાં કેટલીક ભૂલ થઇ હતી જેને લઇને હું માફી માંગુ છું.
यह है कांग्रेस के विधायक गोवर्धन दांगी दिग्विजय सिंह के खास राहुल गांधी के विचारों के पोषक और कमलनाथ सरकार के पैरोकार अहिंसा के पुजारी। pic.twitter.com/FfaEvWjmfZ
આ પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના નિવેદન પર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભામાં માફી માંગી હતી.
રાહુલનું આતંકવાદી કહેવું મહિલાનું અપમાન
સંસદમાં પ્રજ્ઞા ઠાકુરે માફી માંગતા કહ્યું કે જો મારા નિવેદનથી કોઇની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું માફી માંગુ છું. તેની સાથે પ્રજ્ઞા ઠાકુરે નામ લીધા વિના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે સંસદમાં એક સન્માનિત નેતાએ મને આતંકવાદી કહી. પ્રજ્ઞાએ કહ્યું કે મારા વિરૂદ્દ કોઇ આરોપ સાબિત નથી થયો, પરંતુ આ પ્રકારની વાત કહેવી એક મહિલાનું અપમાન છે.