સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું- (મહાત્મા) ગાંધીજી રાષ્ટ્રપુત્ર છે
પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા
રવિવારે ભોપાલ રેલવે સ્ટેશનના એક કાર્યક્રમમાં પ્રજ્ઞાએ પત્રકારોના એક સવાલના જવાબમાં કહ્યું, '(મહાત્મા) ગાંધીજી રાષ્ટ્રપુત્ર છે. ગાંધીજી આ ધરાના સપૂત છે. રામ આ ધરાના પુત્ર છે. મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ આ ધરાના પુત્ર છે.' એમણે કહ્યું, ' દેશ માટે જેમણે સરાહનીય કામ કર્યું છે, નિશ્ચિત રૂપે તે અમારા માટે આદરણીય છે. અમે તેમના રસ્તે ચાલીએ છીએ.'
પ્રજ્ઞા ઠાકુરે (Pragya Thakur) કહ્યું કે તે દેશ માટે જીવે છે. પ્રજ્ઞાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે મહાત્મા ગાંધીની 150મી જયંતી પર દેશભરમાં ભાજપ દ્વારા સંકલ્પ યાત્રા નીકાળવામાં આવી રહી છે, પરંતુ એમણે તેમા સામેલ કેમ થઇ રહ્યા નથી? નોંધનીય છે કે, આ પહેલા લોકસભા ચૂંટણી દરમિયાન મધ્યપ્રદેશના આગર માલવામાં પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવ્યા હતા. જેના પર ઘણો વિવાદ ઉભો થયો હતો.
ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કહ્યું હતું કે તે આ નિવેદન માટે એમને ક્યારેય મનથી માફ નહીં કરી શકશે. જોકે, તેના કેટલાક કલાક બાદ ત્યારે પ્રજ્ઞાએ પોતાના નિવેદન પર દેશના લોકોની માફી માંગતા કહ્યું હતું, 'હું ગાંધીજીનું ખુબ જ સન્માન કરુ છું. ગાંધીજીએ દેશ માટે જે કર્યું છે તેને ભૂલાવી શકાય નહીં.'