નાગરિકતા સંશોધન બિલને લઇને ફરી એક વાર સમગ્ર દેશમાં માહોલ ગરમાયો છે. આ વચ્ચે ભાજપ નેતા અને ગોરખપુરથી સાંસદ રવિ કિશનના નિવેદનથી વિવાદ સર્જાયો છે.
ભાજપ સાંસદ રવિ કિશને કહ્યું કે અહીં 100 કરોડ હિન્દુ વસ્તી છે, તો આ ભારત પોતાનામાં એક હિન્દુ રાષ્ટ્ર છે
ગોરખપુરથી સાંસદ રવિ કિશને કહ્યું કે આ અદભૂત છે કે ભારત જેવા દેશમાં હિન્દુ સભ્યતા અને સંસ્કૃતિ જીવિત છે
રવિ કિશને કહ્યું- આ બહુ ગર્વની વાત છે કે ભારતમાં 100 કરોડ હિન્દુનું એક સ્થાન છે જેને વિશ્વ જાણે છે
રવિ કિશને કહ્યું કે, અહીં 100 કરોડ હિન્દુ વસ્તી છે, તેવામાં ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે વધુમાં કહ્યું કે અહીં અનેક મુસ્લિમ દેશ અને ઇસાઇ દેશ છે, તેવામાં આ અદભૂત છે કે ભારત જેવા દેશમાં હિન્દુ સભ્યતા અને સંસ્કૃતિ જીવિત છે.
રવિ કિશને સંસદ બહાર પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, અહીં 100 કરોડ હિન્દુ વસ્તી છે, તો હિન્દુસ્તાન પોતાનામાં જ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે એટલા બધા મુસ્લિમ દેશ છે, જ્યારે એટલા બધા ઇસાઇ દેશ છે તો આ અદભૂત છે કે આપણા લોકોનું અસ્તિત્વ, આપણા લોકોની ઓળખ અને સંસ્કૃતિ જીવિત છે અને તેને જીવિત રાખવા માટે એક માટીનું છે જેનું નામ ભારત છે.
રવિ કિશને વધુમાં કહ્યું કે આ બહુ ગર્વની વાત છે કે 100 કરોડ હિન્દુઓનું એક સ્થાન છે જેને વિશ્વ જાણે છે અને આજે ભારતનું સન્માન સમગ્ર વિશ્વમાં છે.
જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. હવે આ બિલ પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં જશે. ત્યારે વિપક્ષ સતત આ બિલને લઇને વિરોધ કરી રહ્યું છે. વિપક્ષનો સૌથી મોટો વિરોધ એ છે કે તેમાં મુખ્યરીતે મુસ્લિમ સમુદાયને નિશાને બનાવવામાં આવી રહ્યો છે. તેમનો તર્ક છે કે આ બંધારણના કલમ 14નું ઉલ્લંઘન છે જે સમાનતાના અધિકારની વાત કરે છે.