દક્ષિણ દિલ્હીમાં ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ દાવો કર્યો છે કે જો પાર્ટીના નેતાઓએ એકજુટ થઇ કામ કર્યું હોત તો લોકસભા ચૂંટણીમાં પાર્ટી વધુ વોટ હાંસલ કરી શકી હોત. એમના આ નિવેદનને પાર્ટીની દિલ્હી એકમમાં આંતરિક મતભેદ હોવાના સંકેત માનવામાં આવી રહ્યા છે.
કોઇનું પણ નામ લીધા બિધૂડીએ આરોપ લગાવ્યો કે પાર્ટીના કેટલાક નેતાઓ ગત લોકસભા ચૂંટણીમાં તેમની વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ બેઠકો પર જીત હાંસલ કરી હતી.
દિલ્હી ભાજપની 'સોશિયલ મીડિયા મીટ' માં મંગળવારે બિધૂડીએ કહ્યું કે, 'જો તમે રમેશ બિધૂડી પર પ્રહાર કરશો તો પાર્ટીને પણ નુકશાન થશે અને આપને કંઇ નહીં મળે. પાર્ટી સત્તામાં આવ્યા બાદ આપને કંઇક હાંસલ થશે. જો આમ ન હોત તો લોકસભામાં 57 ટકાની જગ્યાએ 62 ટકાથી વધારે વોટ હાંસલ કરી શક્યા હતો.'
એમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક નેતાઓ પોતાના પ્રતિદ્વંદ્વિઓનો બદલો લેવા માટે પાર્ટીનો મંચની જેમ ઉપયોગ કર્યો. બિધૂડીએ દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીનું નામ લીધા વિના કહ્યું, 'ક્યારેક આપણે પાર્ટીના મંચનો ઉપયોગ બદલો લેવા માટે કરવા લાગીએ છીએ. સોશિયલ મીડિયા ટીમે તેના પર ધ્યાન આપવું જોઇએ. મનોજ મારાથી સહમત નહીં હોય, પરંતુ તેના પર નિર્ણય લેવો જોઇએ.'
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી ખુબ જ નજદીક છે. રાજનૈતિક પાર્ટીઓ તેને લઇને સાવધ બની ગઇ છે. દરેક પાર્ટી પોત-પોતાના નેતાઓ સાથે આંતરિક મતભેદ ભૂલાવીને સાથે આવવા અપીલ કરી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના દક્ષિણ દિલ્હી સાંસદ રમેશ બિધૂડી, પાર્ટીના સોશિયલ મીડિયા અને દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીથી નારાજ ચાલી રહ્યા છે.