ભલે પીએમ મોદીએ પોતાના સાંસદોને શીખામણ આપી હોય. પણ ગુજરાતીમાં કહેવત છે કે, શેઠની શીખામણ ઝાંપા સુધી. નવાઈની વાત છે કે, પીએમ મોદીની શીખામણની કોઈ અસર થઈ નથી. આવી જ ઘટના ફરી સામે આવી છે. પહેલી ઘટના છે યૂપીના આગ્રાની. અહીં સાંસદ રામશંકર કઠેરિયાનો કાફલો પસાર થતા ટોલકર્મીઓએ તેમને રોક્યા હતા અને અન્ય ટ્રેકમાંથી વાહન પસાર કરવા વિનંતી કરી.
#WATCH Agra: Security Personnel of BJP MP and Chairman of National Commission for Scheduled Castes Ram Shankar Katheria, thrash toll plaza employees and fire in the air after an argument. Katheria was also present at the spot pic.twitter.com/W8g5Wo4bN6
ઉલ્લેખનીય છે કે, MP ની કારને અન્ય ટ્રેકમાંથી વાહન પસાર કરવા વિનંતી કરતા સાંસદના ગાર્ડ ઉશ્કેરાઈ ગયા અને ટોલકર્મીઓને માર માર્યો અને ફાયરિંગ પણ કર્યુ. પણ સદનસીબે ગાર્ડ બચી ગયો. તો બીજી ઘટના છે મુંબઈની. અહીં પણ શિવસેનાના કોર્પોરેટર મિલિંદ વૈદ્ય પાર્કિંગ બાબતે ઉશ્કેરાયા અને એક વેપારીને જાહેરમાં માર માર્યો.
#WATCH Mumbai: Shiv Sena Corporator Milind Vaidya assaulted chicken traders near Machimar Colony in Mahim, over chicken carriers' vehicles being parked in Mahim area near railway station. (Note: Strong language) pic.twitter.com/Dqd2aZOSmN
તો ત્રીજી ઘટના ઈન્દોરની. જેના વિષે આપ સૌ કોઈ જાણો જ છો. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના દીકરા આકાશ વિજયવર્ગીયએ નિગમના અધિકારીઓને બેટથી માર માર્યો હતો. જ્યારે ચોથી ઘટના. મુંબઈ ગોવા હાઈવેના નિરીક્ષણ માટે નીકળેલા ધારાસભ્ય નિતેષ રાણેએ એન્જીનીયરને કાદવથી નવરાવ્યો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ ઘટના જોઈને એવો સવાલ ઉભો થયા છે કે આ લોકોને સમજાવશે કોણ.?