બાબર જાણતો હતો કે ભારત દેશના લોકોનો આત્મા રામ મંદિર સાથે જોડાયેલો છે
હાલ કોલકાતામાં જય શ્રીરામના નારા વચ્ચે તૃષમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી દ્વારા ભાષણ ન આપવાને લઇને રાજકીય વિવાદ છેડાયો છે. ત્યારે ભાજપના નેતાઓ અને મંત્રીઓ દ્વારા મમતા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. બાબરી વિધ્વંસ મામલે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
બાબરે રામ મંદિર પર ચઢાઈ કરવાનું કેમ નક્કી કર્યુ?
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, જ્યારે વિદેશી આક્રમણકારી આવ્યા, બાબર આવ્યો, તેમણે રામ મંદિર જ કેમ તોડ્યું... કારણ કે તેમને સમજમાં આવ્યું કે આ દેશના પ્રાણ જો કોઇ છે તો તે રામ મંદિરમાં છે. એટલા માટે રામ મંદિર પર આક્રમણ કર્યું. બાબરે રામ મંદિર પર આક્રમણ કર્યું અને એક વિવાદિત બાંધકામ કર્યું. તે મસ્જિદ ન હતી કારણ કે જ્યાં ઇબાદત નથી થતી તે મસ્જિદ ન હોય. પરંતુ તે એક વિવાદિત બાંધકામ હતું.
#WATCH देश में लाखों मंदिर हैं परन्तु उन्हें (विदेशी आक्रमणकारी) समझ आया कि इस देश का प्राण राम मंदिर में है, राम मंदिर पर आक्रमण होकर वहां एक विवादित ढांचा बनाया गया। वो मस्जिद नहीं थी क्योंकि जहां इबादत नहीं होती वो मस्जिद नहीं होती: केंद्रीय मंत्री प्रकाश जावड़ेकर, दिल्ली में pic.twitter.com/e0A266ZGgA
6 ડિસેમ્બર 1992ના રોજ પણ એક ઐતિહાસિક ભૂલ થઈ હતી જે સાચી હતીઃ જાવડેકર
પ્રકાશ જાવડેકરના જણાવ્યા અનુસાર બાબર જાણતો હતો કે ભારત દેશના લોકોની આત્મા રામ મંદિર સાથે જોડાયેલો છે. જેના કારણે બાબરે રામ મંદિર પર ચઢાઈ કરવાનું નક્કી કર્યુ હતું. તેમને એમ પણ કહ્યું કે 6 ડિસેમ્બર 1992ના રોજ પણ એક ઐતિહાસિક ભૂલ થઈ હતી જે સમાપ્ત થઇ.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ...અને હું પ્રત્યક્ષ સાક્ષી છું... 6 ડિસેમ્બર 1992એ અમે કારસેવકના રૂપમાં અયોધ્યામાં હાજર હતા. હું મંચ પર હતો. લાખો કારસેવકો અને એક દિવસ પહેલા અમે રાત્રે પણ સુતા હતા, ત્યારે એજ પ્રાંગણમાં...તો ત્રણ ગુંબજ દેખાઇ રહ્યા હતા... બીજા દિવસે દુનિયાએ જોયું કે એક ઐતિહાસિક ભૂલ કેવી રીતે સમાપ્ત થઇ. ત્યારે આ જ સ્થાન પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.