સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસનો વિવાદ શમવાનું નામ નથી લેતો. બોલિવૂડ જગતમાંથી દરરોજ નવા ખુલાસાઓ આવી રહ્યા છે ત્યારે સુશાંતનો કેસ દેશણી ટોપ તપાસ એજન્સીઓને આપવા માટે ઉગ્ર માગ ઉઠી રહી છે.
બોલિવૂડને નિયંત્રિત કરતા લોકોના ડી કંપની સાથે છે : નિશીકાંત દુબે
CBI,ED, Income Tax, NIA, SITથી તપાસ કરાવવાની માગ
નિશીકાંત દુબેનું ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ
सुशांत सिंह राजपूत की मौत के कारणों तथा उनके तह तक जाने के लिए CBI,ED,Income Tax,NIA का SIT बनाने का आग्रह गृहमंत्री @AmitShah जी से किया ।आतंकवाद व नशाखोरी,माफिया व विदेश की ताक़तों की जॉंच @MumbaiPolice नहीं कर सकती pic.twitter.com/ryxxltwajV
— Dr Nishikant Dubey (@nishikant_dubey) June 27, 2020
ઝારખંડથી ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ ગૃહમંત્રી અમિત શાહથી આ કેસમાં અડધો ડઝનથી વધુ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરાવવાની માગ કરી છે. તેમણે શાહને પત્ર લખીને કહ્યું કે બોલિવૂડ જગતને એવા લોકો નિયંત્રિત કરી રહ્યા છે જેમના સંબંધ માફિયાઓ સાથે સંબંધ છે. ફિલ્મોમાં ગેરકાયદેસર ધનનો ઉપયોગ થઇ રહ્યો છે. અને આ જ કારણથી સુશાંત જેવા પ્રતિભાશાળી યુવાનોને હેરાન કરવામાં આવે છે અને તે બધાને આત્મહત્યા કરવા પર મજબૂર કરવામાં આવે છે.
પત્રમાં સાંસદે કહ્યું કે બોલિવૂડમાં કેટલાક એવા લોકો છે જે ડી-કંપની સાથે સંબંધ ધરાવે છે અને કેટલીયવાર તે બધાને માફિયાઓ સાથે જોવામાં આવ્યા છે. ડ્રગના વેપારથી જોડાયેલ લોકોના પૈસા પણ બોલિવૂડમાં લાગી રહ્યા છે. તેથી હું માગ કરું છું કે સુશાંત સિંહ રાજપૂતની મોત અને તેના કારણો જાણવા CBI,ED, Income Tax, NIA, SITથી તપાસ કરાવવી જોઈએ.
આટલું જ નહીં તેમણે ટ્વિટ કરીને કહ્યું કે મેં ગૃહમંત્રી અમિત શાહને આગ્રહ કર્યો છે કે શીર્ષ સંસ્થાઓથી તપાસ કરાવવી જોઈએ. આતંકવાદ, નશાખોરી, માફિયા અને વિદેશી તાકતોથી જોડાયેલા મુદ્દે પર મુંબઈ પોલીસ તપાસ કરી શકતી નથી.