'ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા મંત્રી નિમિષા સુથાર પર શાબ્દિક રીતે વરસ્યા, મંત્રી આદિવાસી ન હોવાનું ફરી કર્યું રટણ
મનસુખ વસાવાનો વીડિયો વાયરલ
નિમિષા સુથાર સામે આકરા પ્રહાર
"હું હંમેશા સાચુ કહીશ"
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી વિવાદમાં આવ્યા છે.મંત્રી નિમિષા સુથાર પર મોટા આરોપ લગાવી મનસુખ વસાવા ભાષણ આપી રહ્યા છે કે નિમિષા સુથારનો આખો પરિવાર માને છે કે તેઓ આદિવાસી નથી. તોય કેમ તમે તેની રેલીઑ અને કાર્યક્રમોમાં ચાલ્યા જાઑ છો, નિમિષા સુથાર ચૂંટણી લડી પણ હું એક પણ દિવસ પ્રચારમાં ગયો નથી. આદિવાસી સમાજે એક થવાની જરૂર છે. હક માટે બધાએ બોલવુ પડશે એવો બળાપો ઠાલવી નિમિષા સુથાર પર આકરા પ્રહાર કર્યા હતા.
મને પાર્ટી કાઢી મુકશે તેની કોઈ ચિંતા નથી: મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ભાષણનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે મંત્રી નિમિષા સુથાર પર બળાપો કાઢી રહયા છે.તે આદિવાસી સમાજના કાર્યક્રમ દરમિયાન કહી રહ્યા હતા કે ખોટા લોકો માટે ઝુકવાનું બંધ કરી દો, નિમિષા સુથાર આદિવાસી છે કે નહીં તે કોઈને ખબર નથી. હું હંમેશા સાચી વાત કહેવાનો છું, તમે નહીં બોલો તો BTPનો પ્રભાવ વધી જશે. વધુમાં બળાપો કાઢતા કહ્યું હતું કે નિમિષા સુથાર કરતાં આદિવાસી સમાજ માટે મૈ ઘણું કામ કર્યું છે. આવા લોકોને મૈ ખુલ્લા પાડવાનો બેડો ઉઠાવ્યો છે. મને પાર્ટી કાઢી મુકશે તેની કોઈ ચિંતા નથી પણ હું નિમિષા સુથાર આદિવાસી છે તે વાત સ્વીકારવા તૈયાર નથી.
અગાઉ કહ્યું હતું કે સત્ય વાત કહેવામાં મને કોઈ ડર નથી-વસાવા
5 સપ્ટેમ્બરના રોજ સાંસદે માર્મિક ટકોર સાથે પોતાના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે કહ્યું કે, લોકસભા કે વિધાનસભામાં કોઈ આદિવાસીનું સાંભળતું નથી મને યાદ છે કે, અડવાણીજીએ અટલજી ને કહ્યું હતું કે કોઈ પ્રશ્ન હોઈ તો આદિવાસી સમાજના પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિવારણ લાવવું જોઈએ. મનસુખ વસાવા,સામાન્ય સીટ પર થી ચૂંટાય છે પણ માત્ર આદિવાસીની તરફેણ કરે છે એવું કેટલાક લોકો કહી રહ્યા છે કરોડો રૂપિયા આદિવાસી માટે વપરાયા છે.પણ લોકો સુધી પહોંચ્યા નથી હજુ પણ કેટલાક ધારાસભ્યો અને સાંસદસભ્યો બોલતા નથી તેઓ રીઝર્વ સીટ પરથી ચૂંટાય તો છે પણ પરિણામ લાવવું હશે તો આકરું બોલવું પડે અને બોલું છું તો ખોટું લાગે છે. કેટલાક તો ખોટા આદિવાસી બની ને સરકારી નોકરીઓ ખોટા પ્રમાણપત્રો સાથે લઈ જાય છે. આદિવાસી ની દીકરીઓ સાથે લાવી ને લગ્ન કરે છે. હું બોલું છું પણ પાર્ટીમાંથી કોઈ દિવસ દબાણ આવ્યું નથી મનસુખ વસાવા એ કહ્યું કે સત્ય વાત કહેવામાં મને કોઈ ડર નથી.