વિવાદિત નિવેદનો કરનાર અને ગમે ત્યારે ભાજપ સામે જ બાયો ચડાવનાર સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ચૂંટણી વહેલી આવશે તે ચર્ચાએ જોર પકડયું છે.
રાજપીપળામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ
સાંસદ મનસુખ વસાવાનું નિવેદન
5 થી 6 મહિનામાં વિધાનસભાથી ચૂંટણી આવશે
રાજપીપળામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. તેઓએ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં ખૂબ ઓછા સમયમાં વિધાનસભા ચૂંટણી આવશે.BTP અને કોંગ્રેસના ધારાસભ્યોને ઉખેડવાના છે. ભાજપની બે બેઠકો આજે પાટીલ સાહેબને આપવાની છે. આવનારા 5 થી 6 મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાશે.ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ચૂંટણી લડીશું. નર્મદા જિલ્લાની તમામ બેઠકો પર ભાજપનો વીજય થશે તેવા દાવો કર્યો છે
શું ખરેખર વહેલી ચૂંટણી થશે
એક તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કહી રહ્યા છે કે ચૂંટણી સમયસર થશે, પરંતુ જો ભાજપના નેતાઓના નિવેદનથી લાગી રહયું છે કે અંદરખાને જાણે ચૂંટણીની તૈયારી અત્યારથી જ કરવા માટે આદેશ આપી દેવાયા છે. ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવાનું ચૂંટણી પરના નિવેદન રાજકીય ગરમાવો લાવી દીધો છે. આવનારા 5 થી 6 મહિનામાં વિધાનસભાથી ચુંટણી હોવાની વાત સ્ટેજ પરથી કાર્યકર્તાને કરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ત્યારે નિવેદન પરથી તાગ મેળવીએ તો જો વહેલી ચૂંટણી કરી ભાજપ મોટા દાવ ખેલી શકે છે. કોંગ્રેસ માંડ આળસ મરડી ઊભી થવાની કોશિશ કરી રહી છે અને આપ પગપેસારો કરવાની રાહ જોઈ રહી છે ત્યારે ચૂંટણી સમય કરતા વહેલી આવી જાય કોઈ પક્ષને તૈયારી કરવાનો મોકો મળે તેમ નથી સિવાય કે ભાજપ. હાલ તો ભાજપના સાસંદના નિવેદનથી કોંગ્રેસ આપની ઊઘ હરામ થઈ છે તે પાક્કું છે.
કાર્યક્રમમાં કોણ કોણ હાજર હતું?
રાજપીપળા નજીક જીતનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, માર્ગ મકાન મંત્રી પૂરણેશ મોદી,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ટાઇફેડ ના ચેરમેન રામસિંગ રાઠવા, સંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યકરો ને સંબોધ્યા હતા અને
CM ભૂપેન્દ્ર પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં શું કહ્યું?
ભાજપ ની 182 સીટના ટાર્ગેટને પૂર્ણ કરવા નર્મદા જિલ્લાની બે સીટો નાંદોદ અને ડેડીયાપાડા આપવાની વાત કરી હતી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે સ્નેહ મિલન સમારોહ ને સંબોધતા જણાવ્યું હતું કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ માટે એક લાખ કરોડની વનબંધુ કલ્યાણના બીજા તબક્કાને અમલમાં લાવવામા આવી છે. વનબંધુ કલ્યાણ યોજનાના પ્રથમ તબક્કામાં આદિવાસીઓના સર્વાંગી વિકાસના ક્રાંતિકારી પરિણામો મળ્યા છે.
બુધવારે જ સાંસદ મનસુખ વસાવાએ CMને લખ્યો હતો પત્ર
આદિજાતિના ખોટા પ્રમાણપત્રો અંગે લડત ઉપડનાર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફરી વાર લેટર બૉમ્બ ફોડ્યો હતો.આ વખતે એમને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરી છે કે નવા નિયમોને લીધે આદિવાસીઓને જાતિ અંગેના પ્રમાણપત્રો મેળવવા ધક્કા ખાવા પડે છે જેથી પ્રમાણપત્ર મેળવવાની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ.મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે આદિવાસીઓને આદિજાતિના પ્રમાણપત્રો સરળતાથી મળી રહે એ માટે મામલતદાર કચેરીમાં વધારના સ્ટાફની નિમણુંક થવી જોઈએ.ખોટા આદિવાસીઓ સંગઠિત થઈ સરકાર પર દબાણ લાવે છે જેથી સાચા આદિવાસીઓને ન્યાય મળે એની પુરેપુરી કાળજી રાખવી જોઈએ.