ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઉઘાડી ગુજરાતના શિક્ષણની પોલ કહ્યું આપણી કમનસીબી એ છે કે, ગુજરાતની ઘણી શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો જ નથી
ભાજપના સાંસદે શિક્ષણ મુદ્દે ઊઠાવ્યા સવાલ
"ગુજરાતનું શિક્ષણ નબળું છે"
ગુજરાતની શાળાઓમાં કથળિ રહ્યું છે શિક્ષણ!
આપણે ત્યાર દર વર્ષે GUSC અને UPSC અને નેટ અને જેઈઈ જેવી અનેક પરિક્ષાઓ લેવાય છે. પરંતુ હંમેશા દેશમાં ગુજરાતના યુવાનો તેમાં પાછળ રહે છે. કારણ કે, ગુજરાતનું શિક્ષણ નબળું છે.. આવું અમે નહીં પરંતુ ખુદ સત્તાધારી પક્ષના સાંસદ કહી રહ્યા છે. જોકે ભરતીઓના આંકડાઓ અને પરિણામો પણ ક્યાંકને ક્યાંક તેમના નિવેદનને સાચું ઠેરવે છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઉઘાડી ગુજરાતના શિક્ષણની પોલ
આ મુદ્દાઓ અમે નથી ઉઠાવ્યા.. પરંતુ સત્તાધારી પક્ષ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવ્યા છે.. કરજણ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપતા ગુજરાતમાં શિક્ષણના કથળતા સ્તરને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા હતા. જોકે તેમના સવાલો પણ યોગ્ય છે. કારણ કે, પાયાથી જ ગુજરાતનું ગ્રામ્ય શિક્ષણ નબળું છે. સ્થિતિ એવી છે કે, શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે તાલીમબધ્ધ શિક્ષકોની જરૂર હોય છે. પરંતુ આપણી કમનસીબી એ છે કે, ગુજરાતની ઘણી શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો જ નથી. ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી એસ.એસ.સીની પરીક્ષામાં ગુજરાતી ભાષાનું પરિણામ પણ સતત કથળતું જઈ રહ્યું છે. ભાષાની સમજના અભાવે વિદ્યાર્થીઓને અન્ય વિષય સમજવામાં મુશ્કેલી પડી રહી છે. આવા અનેક પડકારો વચ્ચે ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ચાલી રહ્યું છે. તેવામાં પાયાથી જ જે વિદ્યાર્થીઓ નબળા છે તેઓ આગળ જતા કેવી રીતે રાષ્ટ્રીય લેવલે IAS અને IPS બનશે તે મોટો સવાલ છે. અહીં મુદ્દો સાંસદે મનસુખ વસાવા ઉઠાવ્યો છે ત્યારે તેઓ શું કહે છે જરા તે પણ સાંભળો.
શાળાઓ ખંડેર હાલતમાં હોવાની પણ ફરિયાદો
આપને સવાલ એવો થતો હશે કે, સાંસદે પોતાની જ સરકાર સામે કેમ સવાલો ઉઠાવ્યા.. તો આપને જણાવી દઈએ કે, ગ્રામિણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નબળું હોવાની વારંવાર ફરિયાદો ઊઠી રહી છે. અંતરિયાળ ગામડાઓમાં શિક્ષકો સ્કૂલે ન આવતા હોવાની પણ ફરિયાદો થાય છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ મોટા ભાગની શાળાઓમાં બાળકોની સંખ્યા સામે પુરતા શિક્ષકો નથી. તાજેતરમાં જ સરકારે ગ્રામીણ સ્તરે અનેક શાળાઓને મર્જ કરવાનું પણ નક્કી કર્યું છે. તો છેલ્લા 3 વર્ષમાં અનેક શાળાઓ ખંડેર હાલતમાં હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. આવા અનેક મુદ્દાઓ છે જે ક્યાંક શિક્ષણની ગુણવત્તા નબળી હોવાની ચાડી ખાય છે..
ગુજરાત શૈક્ષણિક સ્થિતિ અનુસાર દેશમાં છઠ્ઠા ક્રમે
દેશ લેવલે જ્યારે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ પર નજર કરવામાં આવે તો. ગુજરાતના 33 માંથી 20 જિલ્લા શૈક્ષણિક રીતે પછાત છે.? જેમાં સૌરાષ્ટ્ર ઝોનના 7 , મધ્ય ગુજરાતના 3, દક્ષિણ ગુજરાતના 5 અને ઉત્તર ગુજરાતના 5 જિલ્લા શૈક્ષણિક રીતે પછાત છે. ગુજરાત શૈક્ષણિક સ્થિતિ અનુસાર દેશમાં છઠ્ઠા ક્રમે આવે છે.. એટલું જ નહીં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ઉત્તર પ્રદેશ કરતાં પણ ખરાબ છે.. અહીંથી જ તમે અંદાજ લગાવી શકો છો કે, ગુજરાતમાં શિક્ષણનું સ્થળ કેટલું નબળું છે. ત્યારે સવાલ એ થાય છે કે, શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ છતાં કેમ ગુજરાતનું શિક્ષણ નબળું? સરકાર વાતો તો ખુબ મોટી-મોટી કરે છે. પરંતુ રાષ્ટ્રીય લેવલની સ્પર્ધાઓમાં ગુજરાતના યુવાઓનું પ્રદર્શન જ ખુબ નબળું છે. જે ગુજરાતની સરકારે સ્વિકારવું જ પડશે.