ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના બેરોકટોક નિવેદનો આપવા માટે જાણીતા છે. તે ગમે ત્યારે બોલવામાં બફાટ કરી નાંખે છે આ વખતે પ્લાસ્ટીક મુક્ત ભારતના કાર્યક્રમમાં તેમણે દારૂબંધી મુદ્દે વટાણા વેરી નાંખ્યા હતા. ગુજરાતમાં દારૂ વેચતો હોવાનો અને પિવાતો હોવાનો ખુલાસો કરી દીધો હતો. પોતે સ્વીકાર્યુ હતુ કે, ગુજરાતમાં દારૂબંધી છે પણ સૌ કૌઈ જાણે છે કે, ગુજરાતમાં દારૂ પિવાય છે.
શું કહ્યુ વસાવાએ
પ્લાસ્ટીક મુક્ત ગુજરાતનો હતો કાર્યક્રમ
સાંસદે વેર્યા વટાણા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગમે તેટલું કહે કે ગુજરાતમાં દારૂ નથી મળતો પરંતુ ભરૂચના સૌથી જુના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં દારૂ પિવાય છે. ત્યારે વિવાદ તો ચગવાનો જ હતો?
શું કહ્યુ વસાવાએ
રૂપાણી સરકારના સિનિયર સાસંદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂ વેચાતો હોવાનો ખુલાસો કરતા ચકચાર મચી ગઈ હતી. ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનો રાજપીપળા ટાઉનહોલ ખાતે પ્લાસ્ટિક મુક્ત ભારતના કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું હતુ કે ગુજરાતમાં દારૂ મળે છે? જેના જવાબમાં વસાવાએ જણાવ્યું હતુ કે, આખી દુનિયાને ખબર છે હવે હું ના પાડુ તો કેવું લાગે?
પ્લાસ્ટીક મુક્ત ગુજરાત
વાત આટલેથી અટકી નહતી પરંતુ ઈંગ્લીશ દારૂ કેમિકલવાળો હોય છે અને શરીર માટે હાનીકારક છે તો વળી ગાંજાનો ઉલ્લેખ પણ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પ્લાસ્ટીકની પોટલીઓનો ઉલ્લેખ કરતા દેશી દારૂનો પણ ઉલ્લેખ કરી લીધો હતો. વળી વાંસની બોટલનું લોન્ચિંગ પણ કરી દીધુ અને પ્લાસ્ટીક બોટલના ગેરલાભ પણ ગણાવ્યા પરંતુ આ કાર્યક્રમમાં મહાનુભાવોના ડેસ્ક ઉપર જ પાણીની બોટલ મૂકવામાં આવી હતી.