દિલ્હીમાં ભાજપ સાંસદ મનોજ તિવારી ગંભીર રીતે ઘાયલ થયા છે. તેેઓ CM કેજરીવાલના ઘરની બહાર છઠ પૂજા મુદ્દે વિરોધ કરી રહ્યા હતા. તે સમયે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
દિલ્હીમાં ભાજપના સાસંદ મનોજ તિવારી ઘાયલ
છઠ પૂજાનો વિરોધ કરતી વખતે ભાજપ સાસંદ થયા ઘાયલ
બેરિકેડ પર ચઢી જતા બેરિકેટ સાથે નીચે પટકાયા
દિલ્હીમાં છઠ્ઠ પૂજાને લઈને ભાજપ દ્વારા પ્રદર્શન દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે મુખ્યમંત્રી કેજરીવાલના ઘરની બહાર ભાજપ સાંસદ મનોજ તિવારીએ ધરણા આપ્યા હતા. પરંતુ તેમને ગંભીર રીતે ઈજા પહોચતા તેઓ ઘાયલ થઈ ગયા છે. જેના કારણે તેમને દિલ્હીના સફદરગંજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં સારવાર હેઠળ
હાલ હોસ્પિટલમાં મનોજ તિવારી સારવાર હેઠળ છે તેમની સારવાર ચાલી રહી છે. તેમને કાનમાં ઈજા પહોચી હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે પણ દિલ્હીમાં નદી કિનારે સાર્વજનિક સ્થળો પર છઠ મનાવા પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે. જેનો લોકો ભારે વીરોધ કરતા નજરે પડી રહ્યા છે.
કેજરીવાલના આવાસ સ્થાને આપ્યા હતા ધરણા
ભાજપના સાસંદ મનોજ તિવારી પણ ભાજપ નેતાઓ સાથે મળીને વિરોધ કરી રહ્યા છે. જેમાં તેઓ કેજરીવાલના આવાસ સ્થાને ધરણા આપીને બેઠા હતા. દિલ્હી પોલીસે મુખ્યમંત્રી આવાસની આસપાસના વિસ્કારમાં બેરિકેડ મુકી દીધા હતા. જેથી પ્રદર્શનકાર્તા સીએમ આવાસ સુધી ન પહોચી શકે.
બેરિકેડ સાથે નીચે પટકાયા
પોલીસનું કહેવું છે જ્યારે પ્રદર્શનકર્તાને પોલીસ છૂટા કરી રહી હતી. તે સમયે મનોજ તિવારી બેરિકેડ પર ચઢી ગયા હતા. જેથી બેરિકેડ સાથે તેઓ નીચે જમીન પર પટકાયા જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે મહત્વનું છે દિલ્હીમાં ઘણા લોકો દિલ્હીમાં તહેવારો મનાવાને લઈને સરકારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ભાજપ નેતા દ્વારા પણ કેજરીવાલ સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.