ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ભારતીય જનતા પાર્ટીના સાસંદ હંસરાજ હંસે શનિવારે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટી પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે આર્ટિકલ 370 હાટવ્યા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ભારતીય જનતા પાર્ટીના સાસંદ હંસરાજ હંસે કહ્યુ કે, ''પ્રાર્થના કરો તમામ જગ્યાએ અમન રહે અને લોકો શાંતિથી રહે.'' આ દરમિયાન તેમણે મસ્તીભર્યા અંદાજમાં કહ્યુ કે, ''JNUનું નામ બદલીને MNU કરી દેવામાં આવે.''
'કાશ્મીર ફરી સ્વર્ગ બનશે'
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા હંસે કહ્યુ કે, ''મોટા-મોટા લોકોને ઉલ્લેખ કરવામાં આવ્યો. ખુશીની વાત છે કે કાશ્મીર હવે ખરેખરમાં સ્વર્ગ બની જશે. 370 વાળો મામલો તમામને સારો લાગ્યો અને પ્રાર્થના કરો ત્યાં બધા શાંતિ અને પ્રેમથી રહે. હવે ત્યાં ક્યારેય કોઇ દુર્ધટના ના થાય. વ્યકિત અહીંયાનો મરે કે ત્યાંનો, જાય છે તો માત્ર એક માતાનો જ દિકરો. પછી પરમવીર ચક્ર આપો કે ધર્મવીર ચક્ર આપો પરંતુ માતાનો દિકરો પરત નથી આવતો.''
#WATCH Delhi: BJP's Hans Raj Hans speaks in JNU on Article 370 abrogation. Says "Dua karo sab aman se rahein, bomb na chale...Hamare buzurgon ne galatiyan ki hain hum bhugat rahe hain...Main kehta hoon iska naam MNU kar do, Modi ji ke naam pe bhi to kuch hona chahiye..." (17.08) pic.twitter.com/gejRVIXhZa
હંસરાજે આગળ કહ્યુ કે, ''આપણા વુદ્ઘોની ભૂલો આપણે ભોગવી રહ્યા છે. આ JNUમાં J નો જે મતલબ છે.. તેમના કારણે આ થયુ છે. હું કહુ છે, કદાચ અજીબોગરીબ લાગશે. હવે નામ MNU કરી દો. મોદી જીના નામ પર કંઇ પણ થઇ શકે છે. જે અશક્ય છે તે પણ તેમણે શક્ય કરી બતાવ્યુ છે એટલે જ કહેવાય છે કે, मोदी है तो मुमकिन है।''
ઉલ્લેખનીય છે કે, હંસરાજ હંસ એક સૂફી ગાયક છે. લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં શામેલ થનારા હંસરાજ હંસને ભાજપે ઉદિત રાજની જગ્યાએ પર ઉત્તર પ્રશ્ચિમ દિલ્હીથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ચૂંટણીમાં હસંરાજ હંસની શાનદાર જીત થઇ, લોકસભાની કાર્યવાહી દરમિયાન પણ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.