દિલ્હીમાં આજે ભાજપ સાંસદ રામસ્વરૂપના સંદિગ્ધ મોતથી હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક ધોરણે સુસાઇડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દિલ્લીમાં ભાજપ સાસંદનુ સંદિગ્ધ મોત
સાંસદ રામસ્વરૂપ શર્માનુ મોત
પોતાના નિવાસ સ્થાને ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ
પાર્ટીએ સંસદીળ દળની બેઠક રદ્દ કરી
હિમાચલ મંડી બેઠક પરથી હતા સાસંદ
સાંસદનું મોત :
હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા રામસ્વરૂપ શર્માનું અવસાન થયું છે. દિલ્હી સ્થિત ફ્લેટમાં સાંસદના નિવાસ સ્થાને તેઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. પ્રાથમિક મીડિયા અહેવાલો અનુસાર તેમનું મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે અને તેમનો મૃતદેહ ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યું છે.
લટકેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ : દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસ અનુસાર તેમને સવારે 8.30 વાગ્યે સૂચના મળી કે ગોમતી અપાર્ટમેન્ટમાં ભાજપ સાંસદે આપઘાત કરી લીધો છે. અધિકારીઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમનું શરીર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ અત્યારે તપાસમાં લાગી ગઈ છે. જોકે પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું જ માનવામાં આવી રહ્યું છે.
BJP MP from Mandi, Ram Swaroop Sharma died allegedly by suicide in Delhi. Police received a call from a staffer. He was found hanging and the door was closed from inside: Delhi Police