કેવડિયા ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાત ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સાથે મુલાકાત કરી હતી.
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને કોરોના
કેવડિયામાં દેવું ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
કેવડિયામાં ચાલી રહેલી કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા ચૌહાણ
આપને જણાવી દઇએ કે, દેવુસિંહ કેવડિયા ખાતે ટેન્ટ સીટી 2 માં કૉન્ફ્રસ્ન્સ માં ભાગ લેવા પહોંચ્યા હતા. કોરોના પોઝિટિવ આવતા દેવુસિંહે ટ્વીટ કરીને કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. મારા સંપર્કમાં આવેલા સૌએ કોરોના ટેસ્ટ કરાવી લેવા તથા આરોગ્યની સંભાળ લેવા વિનંતી.
મારુ સ્વાસ્થ સારું છે : દેવુસિંહ ચૌહાણ
જો કે, ત્યારબાદ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, મારુ સ્વાસ્થ સારું છે, મને કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા સાવચેતીના ભાગરૂપે હું આઈસોલેટ થયેલ છું. મારા સંપર્કમાં આવેલા તમામ ને વિનંતી કરું કે આપ પણ કોરોના રિપોર્ટ કરાવી સ્વાસ્થ્યની કાળજી રાખશો.
છેલ્લા 24 કલાકમાં 1540 કેસ
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્થિતિ પશ્ચિમ વિસ્તારમાં વધુ વણસી છે કારણ કે, શહેરના મોટાભાગના કેસ અહીં નોંધાયા છે. ત્યારે આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1540 કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1283 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2,01,949 પર પહોંચ્યો છે. આજે 14 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3906 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 99.99 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 91,469 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,480,789 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં છેલ્લા 5 દિવસ દરમિયાન 1500થી વધુ કેસ નોંધાયા હતા.
છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત દેશમાં આવો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે
છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની રહી છે તે ગુજરાતમાં બની રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે.
પ્રતિમાની 182 મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના 182 સદસ્યોની સૂચક છે અને ગુજરાતના સાડા છ કરોડ પ્રજાજનોની લાગણી તેની સાથે જોડાયેલી છે. આ માહિતી આપતાં રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા.