કેન્દ્રીય ગૃહમંત્રાલયે ભાજપના સાંસદ અને અભિનેતા સની દેઓલની સુરક્ષા વધારીને તેમને Y કેટેગરીની સુરક્ષા આપી છે તેઓ ગુરદાસપુરથી સાંસદ છે અને ખેડૂત આંદોલનના સમયે તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. તેમની સાથે કેન્દ્રીય સુરક્ષા બળની ટીમ પણ હાજર રહેશે.
સની દેઓલની વધારાઇ સુરક્ષા
સની દેઓલને મળી Y કેટેગરીની સુરક્ષા
કૃષિ કાયદાના વિરોધને લઇ સુરક્ષા વધારાઇ
ગૃહ મંત્રાલયના આધારે આઈબી રિપોર્ટ અને સની દેઓલને લઈને થ્રેટ પરસેપ્શનના આધારે આ સુરક્ષા અપાઈ છે, સની દેઓલને જે Y શ્રેણીની સુરક્ષા મળી છે તેમાં તેમની સાથે 11 જવાન અને 2 પીએસઓ પણ હાજર રહેશે.
સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી ભાજપના સાંસદ છે
સની દેઓલની સુરક્ષા એવા સમયે વધારાઈ છે જ્યારે પંજાબમાં ખેડૂત આંદોલનનો ભારે વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂત નેતાઓએ મંત્રીઓના ઘેરાવની વાત કરી છે ત્યારે ભાજપ પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વિરોધનો સામનો કરી રહી છે. સની પંજાબથી આવે છે અને લાંબા સમયથી આ મામલે ચૂપ હોવાથી તેમની પર સવાલ ઉઠી રહ્યા છે. તેઓએ પણ કહ્યું છે કે સરકાર ખેડૂતોની વાત સાંભળવા તૈયાર છે અને તેમની સાથે છે.
સની દેઓલના પિતાએ કરી ટ્વિટ
સની દેઓલના પિતા અને બોલિવૂડના સુપર સ્ટાર ધર્મેન્દ્રએ ટ્વિટ કરીને ખેડૂતોના આંદોલન મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ ટ્વિટ કર્યું હતું કે ઠંડીમાં ખેડૂતો દિલ્હીની સડક પર બેઠા છે એવામાં સરકાર જલ્દી નિર્ણય લે.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા અકાળી દળે સાથ છોડ્યો અને પછી કૃષિ કાયદાને લઈને ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સરકાર અને ખેડૂતો વચ્તે અનેક વાર વાતચીત થઈ પણ કોઈ નિર્ણય આવ્યો નથી, આજે ખેડૂત આંદોલન મુદ્દે સુપ્રીમમાં સુનાવણી થશે.