રાજસ્થાનના બીજેપી સાંસદ નરેન્દ્ર કુમાર ખીચડે એક વિવાદમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સુભાષચંદ્ર બોઝની હત્યા ગાંધીજીએ કરાવી હતી. ભાજપના સાંસદના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઈ ગુસ્સે થયેલી કોંગ્રેસે ખીચરને લોકસભામાંથી બરતરફ કરવાની માંગ કરી છે.
રાજસ્થાનના ઝુંઝુનુથી બીજેપી સાંસદ નરેન્દ્ર કુમાર ખીચડેએ મહાત્મા ગાંધીને લઈ આપેલ એક નિવેદનને લઈ તેઓ ભારે ચર્ચામાં આવ્યા છે. સાંસદ ખીચડ 25 જૂનના રોજ બકરા ગામમાં સ્વાતંત્ર્ય સેનાની શિયોલાલ ખીચડની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં ગયા હતા. કાર્યક્રમમાં સાંસદે કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ સુભાષ ચંદ્ર બોઝની હત્યા કરાવી હતી. માત્ર એક જ વડાપ્રધાન બનવાનું હતું, ગાંધીએ બોઝને ચૂંટણી માટે સમજાવ્યા, પરંતુ તેમને મરાવી નાખ્યા.
કોંગ્રેસની ખીચડને લોકસભામાંથી હટાવવાની માંગ
નરેન્દ્ર કુમાર ખીચડના નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય ભરત સિંહ કુંદનપુરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે કહ્યું હતું કે, દેશના મોટા નેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની હત્યા માટે મહાત્મા ગાંધી પર ખિચડનો આરોપ ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે અને તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધીને તેમની ધરપકડ કરવી જોઈએ. આ સાથે રાષ્ટ્રીય હિતમાં આવી ટિપ્પણી કરવા બદલ આ સાંસદની લોકસભાની સદસ્યતા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવી જોઈએ.
ખીચડ પર રાજદ્રોહનો કેસ ચાલવો જોઈએ: કોંગ્રેસ
બીજેપી સાંસદ નરેન્દ્ર કુમારના વિવાદાસ્પદ નિવેદનને લઈ કોંગ્રેસે ભારે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું છે કે, અત્યાર સુધી ભાજપના કોઈ નેતાએ તેમની પાર્ટીના સાંસદની રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. તેમણે કહ્યું કે, જાહેર મંચ પરથી મહાત્મા ગાંધી પર આ રીતે હત્યાનો આરોપ લગાવીને, લાગણીની બહાર નીકળી ગયેલા શબ્દો બોલ્યા પછી માફી માંગીને તેઓ આ ગંભીર રાષ્ટ્રવિરોધી અપરાધમાંથી મુક્ત થવાને લાયક નથી. જેથી તેમના પર રાજદ્રોહનો કેસ ચાલવો જોઈએ.