કોલકાતામાં નેતાજી જયંતિ પર આયોજિત સમારોહમાં જય શ્રીરામની નારેબાજીને લઇને ભાજપ અને ટીએમસી વચ્ચે નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે.
હરિયાણાના મંત્રી અનિલ વિજના મમતા બેનર્જી પ્રહાર
આખલા માટે લાલ કપડું છે મમતાની સામે જય શ્રીરામના નારા લગાવવાઃ અનિલ વિજ
જય શ્રીરામના નારા લાગતા મમતા બેનર્જીએ ભાષણ રોકી દીધું હતું
હરિયાણાના મંત્રી અનિલ વિજે પણ નારેબાજીથી નારાજ થઇને ભાષણ ન આપવા પર મમતા બેનર્જીની કડક આલોચના કરી છે. વિજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, મમતા બેનર્જી માટે જય શ્રીરામનો નારો એવો છે જેવી રીતે આખલો માટે લાલ કપડું હોય છે. આજ કારણ છે કે મમતાએ આજે વિક્ટોરિયા મેમોરિયલ પર પોતાનું ભાષણ રોકી દીધું.
"Jai Shri Ram" to #MamtaBanerjee is like red rag to a bull that is why she stopped her speech at Victoria Memorial today.
ત્યારે ઉત્તરપ્રદેશના મંત્રી મોહસિન રજાએ પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી હવે રામ નામથી પોતાનું અપમાન અનુભવે છે. જો મમતા જી જય શ્રીરામ, ભારત માતા કી જય અને વંદે માતરમ સાંભળીને આટલું અપમાન અનુભવે છે તો દેશની જનતા મમતાની આવી માનસિકતાથી કેટલી અપમાનિત અનુભવી રહી હશે. જલ્દીધી પશ્ચિમ બંગાળની જનતા મમતાને જવાબ આપશે.
TMC નેતાઓએ નારાજગી વ્યક્ત કરી
ઉલ્લેખનીય છે કે, ટીએમસી સાંસદ નુસરત જહાં અને તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા ડેરેક ઓ' બ્રાયન મમતાની સામે નારેબાજીને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. નુસરત જહાંએ કહ્યું હતું કે, રામનું નામ ગળે લગાવીને બોલે ન કે ગળું દબાવીને. ત્યારે ઓ' બ્રાયને શ્રીરામના નારા લગાવનારા તરફ ઇશારો કરતા કહ્યું કે, માન-મર્યાદા શિખવાડવામાં નથી આવતી. ઓ' બ્રાયને આ વાક્યનો એક મિનિટનો વીડિયો ટેગ કરતા ટ્વિટ કર્યુ, મર્યાદા. તમે અસભ્ય લોકોને મર્યાદા ન શિખવી શકો.