વડોદરા: ભાજપના 3 ધારાસભ્યો ગાંધીનગરના અધિકારીથી નારાજ છે. ત્યારે હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે CMOના અગ્ર મુખ્ય સચિવ કે.કૈલાશનાથન સાથે બેઠક કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં અધિકારીઓના સંદર્ભે થયેલી ફરિયાદો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વહીવટી તંત્રના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
મહત્વનુ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં ઈઝરાયેલના પ્રવાસે છે. ત્યારે હવે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં નીતિન પટેલે અધિકારીઓ સાથે કડક કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના 3 ધારાસભ્યો નારાજ હોવાનું સામે આવ્યું છે. મધુ શ્રીવાસ્તવ યોગેશ પટેલ અને કેતન ઈનામદાર સરકારી અધિકારીઓથી નારાજ છે.
ધારાસભ્યોનો આક્ષેપ છે કે અધિકારીઓ યોગ્ય કાર્ય ન કરતા હોવાથી પ્રજાકીય કાર્યો થઈ શકતા નથી. ત્યારે આ મામલે રજૂઆત કરવા માટે મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદાર ગાંધીનગર પહોંચ્યા છે.
તો મધુ શ્રીવાસ્તવે કહ્યું કે જો અમારા કામ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. મુલાકાતમાં અધિકારીઓના નામ આપવાની પણ જાહેરાત કરી છે.