મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બૈરસિયામાંથી બીજેપી ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ 100 ટકા કોરોના વેક્સિનેશન માટે અપનાવ્યો અનોખો ઉપાય.
20 લાખ રૂપિયા આવાની જાહેરાત બાદ નવી એક જાહેરાત
વેક્સિન લો અને મોબાઈ રિચાર્જ કરાવો
BJPના ધારાસભ્ય વિષ્ણુ ખત્રીની ગામના લોકોને ઓફર
પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કોરોના વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે 100 ટકા વેક્સિનેશન કરાવવા પર ગ્રામપંચાયતોને 20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરનાર ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ હવે એક નવી ઘોષણા કરી છે. તેમણે 30 જૂન સુધી વેક્સિન લેનાર ગામના લોકોને મોબાઈલ રિચાર્જ કરી આપવાની જાહેરાત કરી છે.
હાલ વેક્સિન લેવાને બદલે મોબાઈલ રિચાર્જ કરવાની ખબર સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ આ વાત સત્ય છે. પરંતુ આ હકીકત છે. રાજધાની ભોપાલના બૈરસિયાના બીજેપી ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ આ જાહેરાત કરી છે કે તેમની વિધાનસભા બૈરસિયા હેઠળ આવનારી ગ્રામપંચાયતોના લોકો જો કોરોના વેક્સિન લે તો તેમને મોબાઈલ રિચાર્જ કરી આપવામાં આવશે.
ધારાસભ્ય વિષ્ણુ ખત્રીનો હેતુ આ છે
હકીકતે ધારાસભ્ય વિષ્ણુ ખત્રી પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કોરોના વેક્સિનેશનને વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ તેમણે આ જાહેરાત કરી હતી કે જે પણ ગ્રામપંચાયત સૌથી પહેલા 100 ટકા કોરોના વેક્સિનેશન કરાવી લે તેમને તે 10 લાખ રૂપિયા આપશે. ત્યાં જ બીજા નંબર પર આવનાર ગ્રામપંચાયતને 7 લાખ અને ત્રીજા નંબર પર આવનાર ગ્રામપંચાયતને 3 લાખ રૂપિયા આપવામાં આવશે. ધારાસભ્યની જાહેરાત બાદ પણ તેમના ક્ષેત્રની અમુક ગ્રામપંચાયતો એવી પણ છે જેમાં કોરોના વેક્સિનેશન ઓછુ થઈ રહ્યું છે.
ધારાસભ્ય પોતે કરશે રિચોર્જનો ખર્ચ
ભાજપ ધારાસભ્યએ એવી 10 ગ્રામપંચાયતોને પસંદ કરી છે અને નવી જાહેરાત કરી છે કે 10 ગ્રામપંચાયતોમાં 30 જૂન સુધી જે 100 લોકો વેક્સિન લગાવી લેશે તે 100 લોકોના નામનો ડ્રો કાઢવામાં આવશે. તેમાંથી 10 લોકોને મોબાઈલમાં 199 રૂપિયાનું રિચાર્ચ કરી આપવામાં આવશે. આ ખર્ચ ધારાસભ્ય પોતાના ખિસ્સામાંથી કરશે. આ ઓફર ખેજડાઘાટ, મહોલી, ધમર્રા, પારદી, દમીલા, ગુર્જરખેડી, બન્દરૂઆ, પિપલિયા હસનાબાદ અને ચાટાહેડી પંચાયતમાં લાગુ કરવામાં આવી છે.