ઉત્તરાખંડના ઋષિકેશમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આરોપીના રિસોર્ટની પાછળના ભાગમાં આવેલી ફેક્ટરીમાં આગચંપી કરી હતી.
હાલ ઋષિકેશ એમ્સમાં અંકિતાની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે
ઉત્તરાખંડના ઋષિકેશમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ યમકેશ્વરના ભાજપના ધારાસભ્ય રેણુ બિષ્ટના વાહનમાં તોડફોડ કરી હતી. સાથે જ આરોપીના રિસોર્ટની પાછળના ભાગમાં આવેલી ફેક્ટરીમાં આગચંપી થઈ હતી. એક દિવસ પહેલા આરોપી પુલકિત આર્ય અને તેના સાથીની ધરપકડ બાદ લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી. હાલ ઋષિકેશ એમ્સમાં અંકિતાની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. હરિદ્વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી સંભાવના છે. આ સાથે પુલકિતના ભાઈ અંકિતનો રાજ્યમંત્રીનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. તેમને પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
WATCH | #AnkitaBhandari murder case: Locals set Vanatara resort in Rishikesh, Uttarakhand on fire.
The resort is owned by BJP leader Vinod Arya's son Pulkit Arya. Three accused, including Pulkit, have been arrested in connection with the murder case. pic.twitter.com/7Zx0T6HJIB
ભાજપના MLAના ગાડીના કાચ તોડવામાં આવ્યા
ઋષિકેશની એઈમ્સમાં અંકિતાના પોસ્ટમોર્ટમ દરમિયાન યમકેશ્વરથી ભાજપના ધારાસભ્ય રેણુ બિષ્ટ ત્યાં પહોંચ્યા હતા. પરંતુ તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. લોકો વિરોધ કરવા લાગ્યા હતા અને પાછા જતાની સાથે જ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. આ દરમિયાન તેમની ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. પોલીસ અને વહીવટીતંત્રે ગમે તેમ કરીને તેમને બચાવી લીધા હતા અને ત્યાંથી દૂર કર્યા હતા. આ દરમિયાન આરોપી પુલકિત આર્યના રિસોર્ટ પાછળ આવેલી ફેક્ટરીને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
#WATCH | Rishikesh, Uttarakhand: Locals protested against BJP MLA Renu Bisht & vandalised her car as they agitated over Ankita Bhandari murder case.The MLA was escorted away by Police
3 accused,incl BJP leader Vinod Arya's son Pulkit Arya, arrested in connection with the matter pic.twitter.com/RExf8pExAS
રિસોર્ટ માલિક સહીત ત્રણ લોકોની ધરપકડ
ઉત્તરાખંડના રિસોર્ટની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીના મામલામાં મોટો ખુલાસો થયો છે. આજે સવારે એટલે કે શનિવારે પોલીસને અંકિતાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ અને SDRFની ટીમે જિલ્લા પાવર હાઉસ નજીક શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 19 વર્ષની અંકિતા 18 સપ્ટેમ્બરથી ગુમ હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં રિસોર્ટ માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પરથી હત્યાનો ભેદ ઉકેલાશે
આ સમગ્ર કેસમાં હવે તમામની નજર પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર છે. માનવામાં આવી રહ્યું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બપોરે 2થી 3 વાગ્યાની વચ્ચે આવી શકે છે. હાલમાં એમ્સ ઋષિકેશમાં તેમનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા સ્પષ્ટ થશે કે હત્યા કેનાલમાં ફેંકાતા પહેલા કરવામાં આવી હતી કે અંકિતાનું મોત ડૂબી જવાથી થયું હતું. વળી, પોસ્ટમોર્ટમમાં અંકિતાની હત્યા પહેલા બીજી કોઈ ગેરવર્તણૂંક થઈ ન હતી. ચીલા પાવર હાઉસ કેનાલમાંથી અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યા બાદ હવે મામલો વધુ ગંભીર બન્યો છે. આરોપીઓની પૂછપરછમાં જે પણ કેસ સામે આવ્યા, તેની પુષ્ટિ થઈ હોય તેવું લાગી રહ્યું છે.
ધક્કો મારતા અંકિતા નહેરમાં પડી
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે 18 સપ્ટેમ્બરની રાત્રે ચાર લોકો રિસોર્ટમાંથી નીકળ્યા હતા. આ ચારેય બાઇક અને સ્કૂટી પર ચિલા પાવર હાઉસ ગયા હતા. ત્યાં દારૂ પીધા બાદ પુલકિત અને અંકિતા વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. પુલકિત અંકિતા પર રિસોર્ટ અંગે બદનામ થવાનો આરોપ લગાવી રહ્યો હતો. આથી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેમણે અંકિતાને કેનાલમાં ધકેલી દીધી હતી. પોલીસની સામે આ આરોપીઓએ કબૂલ્યું હતું કે, અમને ગુસ્સો આવ્યો હતો. નશામાં અમે ધુત હતા જેથી અમને ખબર નહોતી કે અમે શું કરી રહ્યા છીએ. અંકિતા અમારી સાથે ઝગડો કરી રહી હતી. ત્યારે અમે તેને ધક્કો માર્યો અને તે નહેરમાં પડી ગઈ હતી. પાણીમાંથી બહાર કાઢવા માટે તે બૂમો પાડતી રહી અને અમે લોકો ત્યાંથી ભાગી ગયા હતા.