ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કોરોનાની ઝપેટમાં રાજકીય નેતાઓ પણ જોવા મળી રહ્યાં છે. ત્યારે હાલમાં ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે.
ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાગ્રસ્ત
ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા
ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત જોવા મળ્યાં છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે. ત્યારે થોડા દિવસ પહેલા જ મધુ શ્રીવાસ્તવના PAનું કોરોનાથી નિધન થયું હતું.
અત્યાર સુધીમાં 18 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી સંક્રમિત થઈ ચૂક્યા છે. ભાજપના નેતા અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોનાનો શિકાર બની ચુક્યા છે જ્યારે એક વખતના વડાપ્રધાન મોદીની હરોળના ગણાતા નેતા શંકરસિંહ વાઘેલા પણ કોરોના સંક્રમિત થયા હતા.
જ્યારે વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન થયું હતું. તેઓ છેલ્લા 10 દિવસથી જૂનાગઢ ખાતે સારવાર લઇ રહ્યાં હતા.
ગુજરાતમાં હાલ ભાજપની કોરોનાને લઇને માઠી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં એક પછી એક નેતા કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. હાલમાં જ થોડા દિવસ પહેલા ભાજપના 7 નેતા સંક્રમિત જોવા મળ્યા હતા.
સુરતના ધારાસભ્ય કાંતિ બલર, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી હાલ કોરોના ગ્રસ્ત છે. ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્ય પણ હાલ કોરોનાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે. ભાજપના સંસદ રમેશ ધડુક સભ્ય સારવાર હેઠળ છે. સંસદ સભ્ય ડો.કિરીટ સોલંકીને હાલ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ ) કેબિનેટ મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે.
ભાજપના કયા નેતાએ કોરોનાને હરાવ્યો?
ધારાસભ્ય કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, પૂર્ણેશ મોદી અને રમણ પાટકરતો રાજ્યકક્ષાના મંત્રી છે.