UPમાં બે તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. જો કે, હજૂ પણ 5 તબક્કા બાકી છે. બંને તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે, પણ નેતાઓ વિવાદિત નિવેદન આપવામાંથી જરાં પણ ચૂકતા નથી.
UPમાં બે તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. જો કે, હજૂ પણ 5 તબક્કા બાકી છે. બંને તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે, પણ નેતાઓ વિવાદિત નિવેદન આપવામાંથી જરાં પણ ચૂકતા નથી. હકીકતમાં જોઈએ તો, હવે ભાજપ ધારાસભ્ય ટી. રાજાસિંહે સીએમ યોગી આદિત્યનાથને વોટ કરવાની અપીલ કરતાની સાથે કહ્યું કે, જે લોકો ભાજપને વોટ નથી આપતાં, તેમને કહેવા માગુ છુ કે, યોજીએ હજારો જેસીબી-બુલડોઝર મગાવી લીધા છે.
જે લોકો યોગીને પસંદ નથી કરતા, તે પણ ઘરમાંથી બહાર નિકળી રહ્યા છે
આપને જણાવી દઈએ કે, ટી રાજા સિંહ હૈદરાબાદના ગોશામહલ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. તેમને એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે. ગત રોજ યુપીમાં બીજા તબક્કાનું મતદાન થયું. પણ અમુક વિસ્તારમાં ખૂબ વોટીંગ થયું છે, જે યોગી આદિત્યનાથને પસંદ નથી કરતા, તેવા લોકો પણ મોટી સંખ્યામાં ઘરોમાંથી નિકળી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે.
હિન્દુઓને અપીલ કરવા માગુ છું, ભરપૂર માત્રામાં કરો મતદાન
ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે, હું હિન્દુઓને અપીલ કરુ છુ કે, ત્રીજા તબક્કામાં મોટી સંખ્યામાં બહાર આવી મતદાન કરો, તેઓ અહીંથી રોકાયા નહોતા. ચૂંટણી બાદ એવા વિસ્તારોને ચિન્હીત કરવામા આવશે, જેમણે યોગીને સપોર્ટ નહોતો કર્યો.
ઉત્તર પ્રદેશ તરફ નિકળી ચુક્યા છે બુલડોઝર
ભાજપ ધારાસભ્યએ કહ્યું કે, જે લોકો ભાજપને વોટ નથી આપતા, તેમને કહેવા માગુ છુ કે, યોગીજીએ હજારો જેસીબી-બુલડોઝર મગાવી લીધા છે. જે ઉત્તર પ્રદેશ તરફ નિકળી ગયા છે. સાથે જ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં રહેવું હોય તો, યોગી યોગી કહેવું પડશે, નહીંતર યુપી છોડીને ભાગવું પડશે.