ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે લૉકડાઉન વચ્ચે શરૂ કરવામાં આવેલા દારુના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવાની સાથે, આ નિર્ણય માટે પોતાની જ પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ સરકારને પોતાના નિર્ણય પર પૂનર્વિચાર કરવાની માંગ કરી છે.
ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે લૉકડાઉન વચ્ચે દારુના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી
ભાજપના ધારાસભ્યે દારુબંધી માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરી
ભાજપના ધારાસભ્યે દારુબંધી માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે મહેસૂલના સંગ્રહ માટે માનવીના જીવ સાથે સમાધાન કરવું યોગ્ય નથી.
બલિયા જિલ્લાના બેરિયાના ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે ગુરુવારે પોતાના નિવાસ સ્થાને પત્રકારો સાથેની વાતચીતમાં લૉકડાઉન વચ્ચે દારુની દુકાનો ખોલવાને લઇને પોતાની પાર્ટી પર નિશાન સાધ્યું. તેઓએ દારુના વેચાણ પર પ્રતિબંધ મુકવાની માંગ કરતા સરકારને પોતાના નિર્ણય પર પૂનર્વિચાર કરવાની માંગ કરી છે.
તેઓએ કહ્યું કે ભલે અન્ય કોઇ સુવિધા બંધ કરી દેવામાં આવે અને મહેસૂલ પ્રાપ્તિ માટે અન્ય બીજો કોઇ ઉપાય કરવામાં આવે પરંતુ સમાજના હિતમાં દારુનું વેચાણ રોકવુ જરૂરી છે. કેમકે તેનાથી અરાજકતા ફેલાય છે. સાથે જ દારુના વેચાણની વચ્ચે લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન સંભવ નથી.
તેઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરતા દાવો કર્યો છે કે નીતિશ કુમાર એકમાત્ર એવા રાજનેતા છે, જેમણે બિહાર જેવા ગરીબ પ્રાન્ત હોવા છતા માનવીનો વિચાર કરતા દારુબંધી કરીને આવકનો મોટો સ્ત્રોત બંધ કરી દીધો છે. આ નીતિશ કુમાર જેવા નેતાથી જ થઇ શકે તેમ છે.