વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા કહ્યું કે, જો મારા વિસ્તારના પ્રશ્નનું સમાધાન નહીં આવે તો શાસક પક્ષનો ધારાસભ્ય હોવા છતાંય હું કોર્ટ સુધી પણ જઈશ
વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ભાજપના MLAનું નિવેદન
ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ આપ્યું મોટું નિવેદન
'જળ સંચયનો પ્રસ્તાવ આવ્યો છે પરંતુ તળાવમાં પાણી જ આવતું નથી'
વિધાનસભામાં બજેટ સત્ર તા. 22મી ફબ્રુઆરીથી શરૂ થયો હતો જેનો 29 માર્ચ એટલે કે, આજે અંતિમ દિવસ છે. જે સત્ર દરમિયાન બજેટથી લઈ અનેક નવા અને સુધારા વિધયક પસાર કરવામાં આવ્યાં છે. વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ભાજપના ધારાસભ્યનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ આપ્યું મોટું નિવેદન
રમણલાલ વોરોએ જણાવ્યું કે, જળ સંચયનો પ્રસ્તાવ આવ્યો છે પરંતુ જે તળાવમાં પાણી જ આવતું નથી તેમણે કહ્યું કે, પાણી જ ન આવતું હોય તેના પાળા મજબૂત કરવાની વાત કરે છે. તેમણે ઉમેર્યું કે, કેનાલ સાફ કરવાની વાત કરે છે પરંતુ મારા વિસ્તારમાં કોઈ કેનાલ સાફ કરાતી નથી. વિભાગના એન્જીન્યરથી લઈ સચિવ સુધી અને મંત્રીથી લઈ CM સુધી રજુઆત કરી છે. તેમણે જણાવ્યું કે,જો મારા વિસ્તારના પ્રશ્નનું સમાધાન નહીં આવે તો શાસક પક્ષનો ધારાસભ્ય હોવા છતાંય હું કોર્ટ સુધી પણ જઈશ. તેમણે કહ્યું કે, હું જ્યારે મંત્રી હતો ત્યારે વિસ્તારના કામ માટે હું કોર્ટમાં ગયો હતો.
નિવેદન બન્યો ચર્ચાનો વિષય?
રમણલાલ વોરોના આ નિવેદનથી ગૃહમાં સન્નાટો વ્યાપી ગયો હતો તેમજ શાસક પક્ષના ધારાસભ્યના આ નિવેદન બાદ અનેક તર્ક વિતર્ક પણ શરૂ થયા છે. તેમણે કરેલા આક્ષેપો તેમજ ચીમકીને લઈ ફરી મામલો ગરમાય તો નવાઈ નહી તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર
આજે ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યો છે. સર્વ સંમતિથી આ વિધેયક પસાર કરવામાં આવ્યો છે, રાજ્ય સરકારે નવી પાંચ યુનિવર્સિટીને મંજૂરી આપી છે. અમદાવાદમાં સરદાર પટેલ ગ્લોબલ યુનિવર્સિટીની સ્થાપના થશે તેમજ ભાવનગરમાં જ્ઞાન મંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીનું નિર્માણ થશે તેમજ વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી અને વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી અને સાણંદમાં કે એન. યુનિ.નું નિર્માણ થશે. તેમજ હાલ સુધી રાજ્યમાં 103 ખાનગી યુનિવર્સીટી હતી જે વધીને રાજ્યમાં હવે કુલ 108 ખાનગી યુનિવર્સીટીઓ થશે.