વડોદરામાં એક પછી એક ધારાસભ્ય ભાજપ સરકારથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેતન ઈનામદાર બાદ હવે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ મહેસૂલ વિભાગના મંત્રી કૌશિક પટેલ સામે અસંતોષ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ અંગે નીતિન પટેલ અને કૌશિક પટેલ બંનેએ પ્રતિક્રિયાઓ આપી હતી જે મુજબ દરેકની માંગણી સંતોષવી શક્ય નથી એવું કહીને પોતાનાથી ઘટતુ કરવાનું કહીને વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો.
''અમે સાથે રહી કામ કરીએ છીએ''''બધાને બધુ મળી જાય તેવું નથી હોતું''
શું કહે છે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ?
મધુ શ્રીવાસ્તવની નારાજગીને લઇ નીતિન પટેલે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે મધુ શ્રીવાસ્તવે મહેસૂલ વિભાગમાં રજૂઆત કરી છે. મંજૂરી માટે મહેસૂલ વિભાગ કામ કરી રહ્યો છે. અમે સાથે રહીને કામ કરીએ છીએ. અને બધાને નાની-મોટી અપેક્ષાઓ પણ હોય છે. પરંતુ બધા માગે તે મળી જાય તેવું નથી હોતું. શક્ય હોય તેટલુ કામ સરકાર કરતી જ હોય છે.
કૌશિક પટેલે શું કહ્યું?
અમે બધા લોકો, કાર્યકર્તા, નેતાઓના કામ કરતા જ હોઈએ છીએ. મહેસૂલ વિભાગ આટીંઘુટીં વાળો વિભાગ છે. આ વિભાગમાં ડિટેઈલમાં તપાસ કરીને મંજૂરી આપવાની હોય છે. મધુભાઈએ તળાવમાં શિવની મુર્તિ બનાવવીન મંજૂરી માગી છે. હાઈકોર્ટનો સ્ટે હોવાથી મંજૂરી મળી નથી. પ્રોસેસ કરીને સારુ કામ કરવાની અમે ચિંતા કરીએ છીએ. મધુભાઈના રાજીનામા વિશે મને કઈ પણ જાણ નથી. મહેસૂલ વિભાગ તમામ લોકોના ઝડપથી કામ કરે છે અને કરતા રહીશું. મધુભાઈને એવી કોઈ વાત હોય તો મારી સાથે આવીને વાત કરે
મધુભાઈના કામને હાઈકોર્ટનો સ્ટે હોવાથી પ્રોસેસ ચાલી રહી છે.