વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે ગઇકાલે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે ભાજપના આ ધારાસભ્યએ પોતાની જ સરકાર સામે વિરોધ દર્શાવતાં રાજીનામું આપ્યું હતું. કેતન ઇનામદારે વીજ કનેકશન મુદ્દે રાજીનામું આપ્યું હોય તેવી અટકળો જોવા મળી રહી છે.
કેતન ઇનામદાર ભાજપના સાવલીના ધારાસભ્ય છે. ત્યારે ઇનામદારે સાવલી નગરપાલિકાના વીજ બીલ મુદ્દે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા MGVCL એ નગરપાલિકાનું વીજ બીલ કાપ્યું છે.
જેના કારણે કેતન ઇનામદારે વીજ કંપનીના અધિકારીઓ, ધારાસભ્ય અને મંત્રીઓનું સાંભળતા ન હોવાનો આરોપ લગાવ્યો છે. કેતન ઇનામદારે આરોપ લગાવ્યો કે મંત્રીઓ ધારાસભ્યોનું સાંભળતા નથી. આ સાથે જ સરકારમાં ધારાસભ્યના કામન ન થતા હોવાનો આરોપ લગાવ્યો છે. આમ પ્રજાના પ્રતિનિધિનું માન સન્માન જળવાતું ન હોવાનો પણ આરોપ લગાવ્યો.
જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી છે કે બોર્ડ નિગમમાં સ્થાન ન મળતાં કેતન ઇનામદાર નારાજ છે. અગાઉ પણ વુડાના ચેરમેન તરીકે પણ કેતન ઇનામદારને બનાવાનો દાવો કરવામાં આવ્યો હતો. આમ વુડાનું ચેરમેન પદ ન મળતાં કેતન ઇનામદાર નારાજ છે. જો કે કેતન ઇનામદારને સરકાર અથવા સંગઠનમાં કોઇ પદ ન મળતા નારાજ જોવા મળ્યાં.