વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કેટલાક પ્રશ્નોને લઇને રાજીનામું આપી દેતા રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. કેતન ઇનામદાર સહિતના કેટલાક ધારાસભ્યો અસંતુષ્ટ હતા. ત્યારે આજે કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું છે. ત્યારે રાજીનામાં પત્ર કેટલાક સરકારની મંત્રી અને અધિકારીઓ પર આક્ષેપો કરાતા પક્ષમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આવામાં સામે કોંગ્રેસ સક્રિય થઈ છે અને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો હતો.
કેતન ઇનામદારના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું
કોંગ્રેસે મુખ્યમંત્રીના રાજીનામાની કરી માગણી
મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ : કોંગ્રેસ
આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ગુજરાત સરકારમાં ચાલતી પોલીસી પેરેલેસિસનો ઈનામદારે ઈમાનદારી પૂર્વક સ્વીકાર કર્યો. હવે જવાબદારી રૂપાણીની અને સરકારી તંત્રની છે. જેથી પોલીસી પેરેલિસિસ અને તંત્રની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.
બીજી બાજુ કોંગ્રેસે મોટું નિવેદન આપતા કહ્યું છે કે સરકારની નીતિ સામે લડનારા માટે દ્વારા હંમેશા ખુલ્લા છે. કોઈ પણ ધારાસભ્ય માટે કોંગ્રેસના દ્વારા ખુલ્લાં છે.
અર્જૂન મોઢવાડિયાનું નિવેદન
કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, ભાજપમાં નાના કાર્યકર્તાઓને સન્માન આપવામાં આવતું નથી કે પછી ભાજપ દ્વારા પ્રજાની સ્થિતિને ધ્યાને લેવામાં આવતી નથી. એટલે જ અમિત શાહે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, CAA બિલના વિરોધમાં ભલે લાખો લોકો ઉમટતા હોય પરંતુ સરકાર પીછેહટ નહીં કરે.
સરકાર અહંકારમાં આવી ગઈ છે: જયરાજસિંહ
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. કોંગ્રેસના જયરાજસિંહ પરમારે કહ્યું કે વારંવાર જનમત મળવાથી સરકાર અહંકારમાં આવી ગઈ છે. આ તેનું પરિણામ છે.
ઈનામદારના રાજીનામાનો મતલબ શું?
જ્યારે 2018માં વડોદરાના ધારાસભ્યો નારાજ થયા ત્યારે ભાજપે શું કર્યું?
સરકારના સ્તરે જ્યારે સંકલન કરવાની હૈયાધારણ અપાઈ હતી તેનું શું?
શું સત્તા મળ્યા પછી પ્રજાના કામો માટે પક્ષો સરકારથી દબાઈ જાય છે?
ધારાસભ્યો પોતાની રજૂઆત લઈને જાય તો મંત્રીઓ ખખડાવે છે?
શું સરકારના અધિકારીઓ ધારાસભ્યોની રજૂઆતોને કાને જ નથી ધરતા?
મતવિસ્તારના કામો માટે ધારાસભ્યોની સરળતાવાળી કોઈ વ્યવસ્થા ગોઠવાઈ નથી?
શું દરેક વખતે ધારાસભ્યો પણ ખોટી શંકાઓથી સરકાર ગ્રસ્ત છે?
કે ભાજપ પક્ષને આંખ લાલ કરીને સરકારને કહેવાની શક્તિ અક્ષીણ થઈ ગઈ છે?
સામાન્ય લોકોના પ્રતિનિધિઓની આ સ્થિતિ તો સામાન્ય લોકોની સ્થિતિ શું હશે?