વડોદરાની સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેનદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાજપને તેનો અંહકાર નડી રહ્યો છે.
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું
અર્જૂન મોઢવાડિયાએ આપ્યું મોટું નિવેદન
ભાજપમાં કાર્યકર્તાઓને સન્માન નથી મળતું
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાં બાદ કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, ભાજપમાં નાના કાર્યકર્તાઓને સન્માન આપવામાં આવતું નથી કે પછી ભાજપ દ્વારા પ્રજાની સ્થિતિને ધ્યાને લેવામાં આવતી નથી. એટલે જ અમિત શાહે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, CAA બિલના વિરોધમાં ભલે લાખો લોકો ઉમટતા હોય પરંતુ સરકાર પીછેહટ નહીં કરે.
મારા જેવા કેટલાય અન્ય ધારાસભ્યોની પક્ષમાં અવગણના
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ ખોટા મુદ્દાઓના આધારે જીત મેળવી લે છે અને કેતનભાઇએ પોતાના રાજીનામામાં લખ્યું છે કે, મારા જેવા કેટલાય ધારાસભ્યો છે જેમની અવગણના પક્ષમાં કરવામાં આવી રહી છે.
શું લખ્યું છે રાજીનામામાં ?
પત્રમાં તેમણે લખ્યું છે કે, મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણી/રજૂઆતો સંદર્ભે સરકારશ્રી અને વહિવટીતંત્રના સંકલનના અભાવે ઉદાસીનતાના કારણે સરકારશ્રીના મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.'
કોંગ્રેસ પ્રવક્તાએ રૂપાણી સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારમાં ચાલતી પોલીસી પેરેલેસિસનો ઈનામદારે ઈમાનદારી પૂર્વક સ્વીકાર કર્યો. હવે જવાબદારી રૂપાણીની અને સરકારી તંત્રની છે. જેથી પોલીસી પેરેલિસિસ અને તંત્રની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ.
જયરાજસિંહ પરમારનું નિવેદન
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. જયરાજસિંહ પરમારે કહ્યું કે વારંવાર જનમત મળવાથી સરકાર અહંકારમાં આવી ગઈ છે. આ તેનું પરિણામ છે.
ઈનામદારના રાજીનામાનો મતલબ શું?
જ્યારે 2018માં વડોદરાના ધારાસભ્યો નારાજ થયા ત્યારે ભાજપે શું કર્યું?
સરકારના સ્તરે જ્યારે સંકલન કરવાની હૈયાધારણ અપાઈ હતી તેનું શું?
શું સત્તા મળ્યા પછી પ્રજાના કામો માટે પક્ષો સરકારથી દબાઈ જાય છે?
ધારાસભ્યો પોતાની રજૂઆત લઈને જાય તો મંત્રીઓ ખખડાવે છે?
શું સરકારના અધિકારીઓ ધારાસભ્યોની રજૂઆતોને કાને જ નથી ધરતા?
મતવિસ્તારના કામો માટે ધારાસભ્યોની સરળતાવાળી કોઈ વ્યવસ્થા ગોઠવાઈ નથી?
શું દરેક વખતે ધારાસભ્યો પણ ખોટી શંકાઓથી સરકાર ગ્રસ્ત છે?
કે ભાજપ પક્ષને આંખ લાલ કરીને સરકારને કહેવાની શક્તિ અક્ષીણ થઈ ગઈ છે?
સામાન્ય લોકોના પ્રતિનિધિઓની આ સ્થિતિ તો સામાન્ય લોકોની સ્થિતિ શું હશે?