ભાજપ સરકારની મુશ્કેલીમાં એકપછી એક વધારો થઈ રહ્યો છે વડોદરા સાવલીના ધારાસભ્ય કેનત ઈનામદારે એકવાર ફરીથી રાજીનામાનો પત્ર સીએમ રૂપાણીને મોકલી આપતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વારે વારે જા તારી કિટ્ટાની જેમ સીએમ ધારાસભ્યોને મનાવે અને ધારાસભ્યો એક પછી એક વિરોધનો સૂર લઈને ઉપસ્થિતિ થાય છે. ક્યારેક એલઆરડી તો ક્યારેક અનામાત ક્યારે બિન અનામત તો ક્યારેક કામને નામે વારેવારે ભાજપના જ ધારાસભ્યો ભાજપનો વિરોધ કરી રહ્યા છે.
કેતન ઈનામદારની નારાજગી
CM રૂપાણીને લખ્યો પત્ર
સાવલીના પ્રશ્નો ન ઉકેલાતા લખ્યો પત્ર
ભાજપના ધારાસભ્યોની નારાજગી યથાવત છે. ત્યારે ફરી ફરી ભાજપના MLA કેતન ઇનામદારની નારાજ થયા છે. કેતન ઇનામદારે CM રૂપાણીને પત્ર લખ્યો છે. સાવલીના પ્રશ્નો હજૂ ન ઉકેલાતા પત્ર લખ્યો છે.
શું છે માંગ?
સાવલી ST ડેપોને લઇ પત્રમાં સવાલ કરવામાં આવ્યા છે કે ST ડેપો વર્ષોથી બંધ છે તે ક્યારે શરૂ થશે. આ ઉપરાંત સાવલી-ડેસર તાલુકામાં ચેકડેમની સુવિધા માટેની પણ માગ કરી છે.
અગાઉ પણ કેતન ઈનામદારે આપ્યુ હતુ રાજીનામું
અગાઉ પણ કેતન ઇનામદારે સાવલી નગરપાલિકાના વીજ બીલ મુદ્દે રાજીનામું આપી દીધું હતું. કેતન ઇનામદારે વીજ કંપનીના અધિકારીઓ, ધારાસભ્ય અને મંત્રીઓનું સાંભળતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઇ ભાજપ હરકતમાં આવી અને જીતુ વાઘાણીના પ્રયાસોથી ધારાસભ્ય કેતન ઇનામદાર માની ગયા હતા. અને કેતન ઇનામદારે રાજીનામું પરત લઇ લીધું હતું. ત્યારે ફરીથી કેતન ઈનામદારની નારાજગી સામે આવી છે.
કેમ નારાજ છે કેતન ઇનામદાર ?
સાવલીના પ્રશ્નો હજૂ ન ઉકેલાતા કેતન ઇનામદાર નારાજ
સાવલી અને ડેસરમાં ચેકડેમને લઈને કેતન ઈનામદાર નારાજ
અનેક વખત રજૂઆત કરાઇ છતા કોઇ કામગીરી નથી થઇ
સાવલી ST ડેપો હજુ પણ કાર્યરત નથી કરાયો
ST ડેપો વર્ષોથી બંધ છે તેથી તેને શરૂ કરવાની કરી રહ્યા છે માગ