ભાજપના MLA ગોવિંદ પટેલનું બેજવાબદારી ભર્યુ નિવેદન સામે આવ્યુ છે. ચૂંટણીઓમાં તાયફાઓ કર્યા બાદ ધારાસભ્યે સાવ ઉડાવ જવાબ આપ્યો હતો.
ભાજપના MLA ગોવિંદ પટેલનું બેજવાબદારી ભર્યુ નિવેદન
ચૂંટણીઓમાં તાયફાઓ કર્યા બાદ આપ્યો ઉડાવ જવાબ
માસ્ક બાબતે મીડિયાના સવાલ પર ગોવિંદ પટેલનું નિવેદન
માસ્ક બાબતે મીડિયાના સવાલ પર ગોવિંદ પટેલનું નિવેદન સામે આવ્યું હતુ. ચૂંટણીમાં નેતા-કાર્યકર્તાઓએ માસ્ક ન પહેરવા મુદ્દે આપ્યો ઉડાઉ જવાબ આપ્યો હતો કે, મહેનત-કાળી મજૂરી કરનારને કોરોના નથી થતો. ચૂંટણીમાં BJP નેતા-કાર્યકર્તાઓએ મજૂરી કરી હતી. BJPના નેતાઓએ કાળી મજૂરી કરી હોવાથી સંક્રમિત નથી થયા. આ જવાબ નાઈટ કર્ફ્યૂ અને એ સિવાય ટ્રાન્સપોર્ટ, મોલ, સિનેમા હોલ, જીમ સહિતની ઘણી ખરા રોજગાર પર પતિબંધો બાદ પડ્યા પર પાટુ સમાન છે.
ત્યારે ભાજપના નેતા અને ધારાસભ્ય ગોવિંદ પટેલે VTV પર આ અંગે જનતાની માફી માંગી હતી.
સળગતા સવાલ
સરકારને તેમના આ ધારાસભ્યનું બેજવાબદારીભર્યુ નિવેદન દેખાય છે?
શું જેમને કોરોના થાય છે તેઓ મહેનત અને કાળી મજૂરી નથી કરતા?
શું ભાજપના જે નેતાઓને કોરોના થયો તેઓ મહેનત નહતા કરતા?
શું સામાન્ય જનતા મહેનત અને મજૂરી કરતી નથી?
શું ચૂંટણીમાં મજૂરી કરે એને કોરોના ના થાય એવું હોય છે?
એક ધારાસભ્યને આવું બેજવાબદારીભર્યું નિવેદન શોભે ખરું?