રાજ્યના રાજકારણમાં જે જંગ માટે છેલ્લાં એક માસથી કવાયત ચાલતી હતી તે આજે વિરામ પામી છે. રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે આજે પેટાચૂંટણી યોજાઈ ગઈ. પોતાના બન્ને નેતાઓ શક્તિસિંહ અને ભરતસિંહ જીતશે તેવી કોંગ્રેસને આશા હતી પરંતુ તે આશા ફળીભૂત ન થઈ. ત્યારે તાજેતરમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રાજકોટના ભાજપના ધારાસભ્ય નારાજ થયાં હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે.
રાજકોટ ભાજપના ધારાસભ્ય નારાજ
ગોવિંદ પટેલ નારાજ હોવાની ચર્ચા
કાલે ગોવિંદ પટેલ કરશે પરિષદ
CM રૂપાણીના માદરે વતન રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ પક્ષથી નારાજ થયાં હોવાની વાત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. તેમનું નારાજ થવા પાછળનું કારણ નવા મંત્રીમંડળમાં સ્થાનને લઇને હોવાનું સામે આવ્યું છે.
ભાજપના ધારાસભ્ય થયાં નારાજ
ઉલ્લેખનીય છે કે, ગોવિંદ પટેલ નારાજ થતાં ફરીએકવાર ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. તો એવી ચર્ચાઓ પણ સામે આવી હતી કે, ગોવિંદ ભાઇ પટેલ આવતીકાલે સવારે એક પત્રકાર પરિષદને સંબોધન કરશે.
ગુજરાતના રાજકારણમાં ગરમાવો
ગોવિંદ પટેલ નારાજ થયાં હોવાની ચર્ચાઓ શરૂ થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.નોંધનીય છે કે, મંત્રીમંડળમાં સ્થાન માટે ગોવિંદ પટેલે માગ કરી હોવાની અટકળો પણ શરૂ થઇ હતી.