નિગમ અધિકારી સાથે મારામારી મામલે ભાજપ(BJP)ના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને જામીન મળ્યા છે. ભાજપ મહાસચિવ અને દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયના દીકરા આકાશ વિજયવર્ગીયની જામીન અરજીને ભોપાલની સ્પેશિયલ કોર્ટે આજે(શનિવાર) મંજૂરી આપી દીધી છે.
મહત્વનું છે કે, આકાશ વિજયવર્ગીયને નિગમ અધિકારી સાથે મારામારી મામલે 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે. જોકે તેમને એક બીજા કેસમાં પણ જામીન મળ્યા છે.
જણાવી દઇએ કે આકાશને બે અલગ-અલગ કેસમાં જામીન મળ્યા છે. બીજા મામલામાં વીજળી કાપ વિરૂદ્ધ પ્રદર્શન જેમાં કલમ 188 લાગી હતી, જેમાં 20 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે.
BJP MLA Akash Vijayvargiya has been granted bail in both the cases - thrashing a Municipal Corporation officer and case in connection with a protest in Rajbada over power cuts in the state - on a cash bail of Rs 50,000 and Rs 20,000 respectively. #MadhyaPradeshhttps://t.co/MosOWNQ6s2
આકાશના વકીલના જણાવ્યા અનુસાર, કોર્ટે કહ્યું કે કેસ તો ચાલશે પરંતુ આકાશને જેલમાં રાખવા યોગ્ય નથી. કોર્ટ તરફથી જેલ પ્રશાસનને તેમને છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. વકીલે કહ્યું કે, મને લાગે છે કે આકાશ કાલે એટલે રવિવારે બહાર આવશે.
ઉલ્લેખનીય છે કે, આકાશ વિજયવર્ગીયના જામીન મામલે શનિવાર બપોરે સુનાવણી પૂર્ણ થઇ, જેમાં બન્ને પક્ષોના વકીલોએ પોતાની દલીલો સ્પેશિયલ કોર્ટમાં રાખી હતી. જ્યાર બાદ વિશેષ જજ સુરેશસિંહે નિર્ણય સુરક્ષિત રાખ્યો અને જામીન આપવાનું એલાન કર્યું.