ઝારખંડના હજારીબાગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રમાં મોદી સરકારના મંત્રી જયંત સિન્હાની રામગઢ જિલ્લામાં એક ચૂંટણી સભાને સંબોધન દરમિયાન જીભ લપસી હતી. જયંત સિન્હાએ હાલમાં જ યુએન દ્વારા વૈશ્વિક ગ્લોબલ આતંકવાદી જાહેર કરનાર જૈશ-એ-મહોમ્મદના વડા મસૂદ અઝહરને 'જી' કહીને સંબોધન કર્યું.
એક મળતાં અહેવાલ મુજબ જયંત સિન્હાએ ચૂંટણી સભામાં કહ્યું કે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રએ 'મસૂદ અઝહર જી'ને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. ખરેખર તો ભાજપની ટીકિટ પર હજારીબાગ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા જયંત સિન્હા ચૂંટણી સભાને સંબોધન કરવા દરમિયાન કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અંગે જણાવી રહ્યાં હતા.
જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરને યુએન દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે. જો કે કેન્દ્ર સરકારના ભાજપના મંત્રી જયંત સિન્હા ઉત્સાહમાં આવીને ભાન ભૂલ્યા અને મસદૂને મસૂદજી કહી બેઠા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિન્હા એક રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેઓએ કહ્યું કે, અમારી સરકાર રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.
મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો શ્રેય પણ અમારી સરકારને જાય છે. આ દરમિયાન જયંત સિન્હાએ મસૂદને મસૂદજી કહીને સંબોધન કર્યુ. જયંત સિન્હાએ કહ્યું કે, હાલ અમે જે કામ કર્યુ છે તે દેશની સુરક્ષાનું કેન્દ્ર છે. જે ખૂબ જ સફળ રહ્યુ છે. તાજેતરમાં જ મસૂદ અઝહરને યૂએને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. આ બધુ યૂપીએના સમયમાં, કોંગ્રેસના સમયમાં ક્યારેય થઈ શક્યુ નહી, કારણ કે દેશની પ્રતિષ્ઠા અને સન્માન વિશ્વ સ્તરે બિલકૂલ ડૂબી હતી, કારણકે ત્યાં માત્ર વંશવાદની બોલબાલા હતી.