મધ્યપ્રદેશના ઉદ્યોગમંત્રી ઓમપ્રકાશે મોઘવારીને લઈને ઘણું વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મોંઘવારીને લઈને એવું કહ્યું કે તકલીફો પડશે તોજ જીવનનો આંનદ લઈ શકશે. જેથી લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.
મઘ્યપ્રદેશના ઉદ્યોગમંત્રીનું વિવાદિત નિવેદન
મોંઘવારીની સામે આપ્યું વિવાદિત નિવેદન
તકલીફોજ જીવન જીવવનો આનંદ આપશે :ઉદ્યોગમંત્રી
પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઈને લોકો પહેલાથી ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 ઉપર પહોચી ગયો છે. ત્યારે આવા સમયે મધ્યપ્રદેશના ઉદ્યોગ મંત્રી ઓમપ્રકાશ સકલેચાએ વિચીત્ર જવાબ આપ્યો છે.
તકલીફો આનંદ આપશે : ઉદ્યોગમંત્રી ઓમપ્રકાશ
ઉદ્યોગ મંત્રી ઓમપ્રકાશે પત્રકાર પરિષદમાં એવો જવાબ આપ્યો કે જીવનમાં તકલીફોજ તમને આનંદ આપે છે. જ્યા સુધી એક પણ તકલીફ તમને નહી થાય ત્યા સુધી તમે જીવનનો આનંદ પણ નહી લઈ શકો.
મોઘવારીને કારણે લોકો હેરાન
એક તરફ દેશમાં મોંઘવારી માઝા મૂકી રહી છે, તેલ, દૂધ, ગેસ, પેટ્રોલ, ડિઝલના ભાવ ગરીબોની કરોડરજ્જૂ તોડી રહ્યા છે, જનતા પરેશાન છે, તેવા સમયે મધ્યપ્રદેશના શિવરાજ સરકારના મંત્રી લોકોના જખમ પર જાણે મીઠું ભભરાવી રહ્યા છે, મંત્રી ઓમપ્રકાશે વધતી જતી મોંઘવારી પર એવો વિચિત્ર તર્ક આપ્યો કે અર્થશાસ્ત્રના ખેરખાં પણ માથું ખંજવાળતા રહી જાય.
પેટ્રોલના ભાવને લઈને લોકો હેરાન
છેલ્લાં એક વર્ષથી દેશમાં જે રીતે અને જે દરથી મોંઘવારી વધી રહી છે તેણે, ગરીબો અને મધ્યમ વર્ગના લોકોનું જીવવું ઝેર કરી દીધું છે, ખાદ્ય તેલ અને પેટ્રોલ ડીઝલના ભાવનો માર સહન કરી રહેલા નાગરિકો પર ઓચિંતા ગેસનો અને દૂધનો ભાવવધારો ઝિંકાયો. કોરોનાકાળમાં રોજગારી પર પડેલી અસરથી ખોરવાયેલા બજેટના સાંધા સંધાતા નથી ત્યાં, રોજ રોજ નવી મોંઘવારીની કાતરથી ગરીબોના ખમીસનું ખિસ્સુ વેતરાતું જ રહે છે.
લોકોમાં રોષનો માહોલ
ઉલ્લેખનીય છે કે હાલ સામાન્ય માણસ હેરાન પરેશાન છે, જીવવું દોહ્યલું બની ગયું છે ત્યારે કેટલાક મંત્રીઓને ગરીબોની મજાક કરવાનું સૂજી રહ્યું છે, મંત્રી ઓમપ્રકાશ મધ્યપ્રદેશના શિવરાજસિંહની સરકારના મંત્રી છે, તેઓ મોંઘવારી પર કંઈક આવો તર્ક આપ્યો કે જેના કારણે લોકોમાં તેમની સામે રોષનો માહોલ ફેલાયેલો છે.