ભાજપના સંકલ્પ પત્રની મોટી વાતો પર નજર કરીએ તો ભાજપે સંકલ્પ પત્રમાં રામ મંદિર નિર્માણના પ્રયાસા કરવાનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત કલમ 370 અને 34-Aને ખતમ કરવાનો પણ સંકલ્પ છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે. જેમા દેશની આઝાદીના 75વર્ષ પૂરા થવા પર ફોક્સ કરવામાં આવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ મેનિફેસ્ટો 6 કરોડ લોકોની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. તેને 'સંકલ્પ ભારત, સશક્ત ભારત' નામ આપવામાં આવ્યું છે.
ત્યારે ભાજપના સંકલ્પ પત્રની મોટી વાતો પર નજર કરીએ તો ભાજપે સંકલ્પ પત્રમાં રામ મંદિર નિર્માણના પ્રયાસા કરવાનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત કલમ 370 અને 34-Aને ખતમ કરવાનો પણ સંકલ્પ છે.
ભાજપે રામ મંદિર પર પોતાના જુનુ વલણ અપનાવતા કહ્યું કે આના નિર્માણ માટે મિત્રતાભર્યું વાતાવરણથી તમામ વિકલ્પ શોધવામાં આવશે. જમ્મુ કાશ્મીર પર પણ તેણે જુના રાગ આલાવ્યો છે. કહ્યું કે એક વાર ફરી સત્તામાં આવીશું તો તેઓ રાજ્ય સાથે સંબંધિત વિશેષ દરજ્જો અનુચ્છેદ 370 અને 35 એ ને ખતમ કરશે. પાર્ટીએ સમાન નાગરિક સંહિતા લાવવા અને નાગરિકતા સંશોધન બિલને બન્ને સંસદોમાં પસાર કરાવવા અને આતંકવાદ પર જીરો ટોલરેસની નીતિ યથાવત રાખવા અને દેશની સુરક્ષાથી કોઇ સમજૂતી નથી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
સાથે જ 2022 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરાશે. ગેરકાયદે ઘૂસણખોરીને કોઇપણ સંજોગોમાં રોકવી. ત્રિપલ તલાક પર કાયદો બનાવાનો વાયદો કરાયો છે. તો 60 વર્ષથી વધુની ઉંમરના ખેડૂતો અને નાના વેપારીઓને પેન્શન આપવાનો વાયદો છે.
જ્યારે દરેક ઘરમાં વીજળી, શુદ્ધ પાણી અને શૌચાલયનો સંકલ્પ. તો સાથે જ કૃષિ ક્ષેત્રે 25 લાખ કરોડનું રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડનું રોકાણ કરવાનો પણ વાયદો સંકલ્પ પત્રમાં કરાયો છે.