મોરબી દુર્ઘટના અંગે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે ટ્વીટ કર્યું; "1979ની મોરબી હોનારતમાં પણ માત્ર RSSના સ્વયંસેવક તરીકે રાહત કાર્ય કરનાર પણ નરેન્દ્રભાઈ મોદી જ હતા"
ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું ટ્વીટ
1979ની મોરબી દુર્ઘટના અંગે ટ્વીટ
'1979માં RSSના સ્વયંસેવકોએ કરી હતી કામગીરી'
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં અનેક પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યા છે. મોરબીની આ મોટી બીજી દુર્ઘટના છે જે અગાઉ 1979માં મોરબી દુર્ઘટના સર્જાઈ હતી. જેનાથી ખાનાખરાબી મોટી થઈ હતી જે બાદ ફરી મચ્છુ નદી પર પૂલ તૂટવાથી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અનેક લોકો જીવ ગુમાાવ્યા છે અને ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે સમગ્ર ઘટના બાદ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું ટ્વીટ સામે આવ્યું છે.
આ અમે નથી કહેતા અખબારો કહે છે ....૧૯૭૯ ની મોરબી હોનારતમાં પણ માત્ર આરએસએસના સ્વયંસેવક તરીકે પહોંચનાર અને રાહત કાર્ય કરનાર પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ હતા. આજે પ્રધાન સેવક તરીકે પણ સૌથી વધારે ચિંતા તેમને જ છે pic.twitter.com/811hJm4DDe
યજ્ઞેશ દવેનું ટ્વીટ
ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું ટ્વીટ સામે આવ્યું છે. 1979ની મોરબી દુર્ઘટના અંગે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે ટ્વીટ કર્યું છે. તેમા તેમણે જણાવ્યું છે કે, 1979ની હોનારતમાં RSSના સ્વયંસેવકોએ કામગીરી કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ કામગીરી કરી હતી તેમ તેમણે જણાવ્યું છે. RSSની કામગીરીની વાતો અખબારો કહે છે તેમ પણ લખ્યું છે. આજે પ્રધાન સેવક તરીકે પણ સૌથી વધારે PM મોદીને ચિંતા છે તેમ પણ જણાવ્યું છે.
ટ્વીટમાં લખ્યું છે
"આ અમે નથી કહેતા અખબારો કહે છે ....૧૯૭૯ ની મોરબી હોનારતમાં પણ માત્ર આરએસએસના સ્વયંસેવક તરીકે પહોંચનાર અને રાહત કાર્ય કરનાર પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ હતા. આજે પ્રધાન સેવક તરીકે પણ સૌથી વધારે ચિંતા તેમને જ છે"